- પોરબંદરમાં વધુ એક કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું
- પોરબંદરના કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓ લઇ રહ્યા છે રાહતનો શ્વાસ
- સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતે શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં 20 બેડ કાર્યરત
પોરબંદર: કોરોના સંક્રમિત દર્દીઓને સમયસર અને જરૂરી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરાયા છે. જિલ્લા તંત્ર દ્વારા જિલ્લામાં પણ જુદા જુદા સ્થળોએ આવા સેન્ટર્સ શરૂ કરાયા છે. જ્યા મેડીકલ ટીમ દ્વારા દર્દીઓને સારવાર પુરી પાડવામા આવે છે. જિલ્લામાં અત્યાર સુધી છ સેન્ટર કાર્યરત હતા. સરકારી આયુર્વેદ હોસ્પીટલ ખાતે શરૂ કરાતા હાલ કોવિડ કેર સેન્ટર સાત થયા છે.
દર્દીઓ માટે મેડીકલ ઓફિસર, સહિતનો સ્ટાફ 24 કલાક ફરજ બજાવી રહ્યો છે