ગુજરાત

gujarat

શોર્ય ,શૂરવીરતા અને સાહસનું પ્રતીક મહેરનો મણિયારો રાસ

By

Published : Oct 7, 2019, 5:29 PM IST

પોરબંદર : નવરાત્રીના સમયમાં અનેક સ્થળોએ વિવિધ જ્ઞાતિઓ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ પોરબંદરમાં મહેર જ્ઞાતિ એવી છે. જેણે પરંપરાગત વારસો હજુ પણ સાચવી રાખીને નવી પેઢીમાં આ વારસાની ઝાંખી કરાવે છે. મહેર જ્ઞાતિના શોર્ય ,શૂરવીરતા અને સાહસનું પ્રતિક એવા મણિયારા રાસનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. આ મહેર જ્ઞાતિના પુરુષો અને સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમવા આવે છે. અને લયબદ્ધ રીતે મહેર યુવાનોને રમતા જોઈને શૂરવીરતાની ઝાંખી દેખાય છે.

etv bharat

કહેવાય છે કે, જયારે જુના જમાનામાં યુદ્ધો થતા હતા. તે સમયે ઘોડો અને તલવાર સહિત મહેર પહેરવેશ સાથે શૂરવીરો સજ્જ થતાં અને યુદ્ધમાં જતા. ત્યારે લોકોને બચાવવા તથા ગૌ રક્ષા માટે મહેર જ્ઞાતિના અનેક શૂરવીરો યુદ્ધ કરવા જતા. ત્યારબાદ વિજય મેળવ્યા બાદ આ મણિયારો રાસ રમવામાં આવતો હતો. જે હવે આ જ્ઞાતિનું શોર્યનો અનોખો પ્રતિક બની ગયો છે.

શોર્ય ,શૂરવીરતા અને સાહસનું પ્રતીક મહેરનો મણિયારો રાસ

પોરબંદરમાં ચોપાટી ગ્રાઉન્ડ પર મહેર જ્ઞાતિ દ્વારા આયોજિત આ રાસ મંડળમાં સાહસ અને ખમીરવંતી મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં મહિલાઓ અને પુરુષો રાસ રમવા આવે છે. જેમાં મહિલાઓ મોંઘી કિંમતના સોનાના આભૂષણો વેઢલા અને મોટા હાર તેમજ પુરુષો આંગળી, ચોરણી, પાધડી અને ખેસ પહેરીને રમે છે.

ઉપરાંત મણિયારો રાસ જે આજે વિશ્વ પ્રસિદ્ધિ પામ્યો છે. તે જોતા જ યુવાનોનું જોમ અને જુસ્સો જોવા મળે છે આ મણિયારો રાસ જોતા દર્શકોમાં પણ નશો ચડી જાય છે. તો પહાડી રાગમાં ગવાતા પરંપરાગત દુહાથી મણીયારા રાસની અનોખી રમઝટ જામે છે.

વર્ષોથી મહેર સમાજ દ્વારા આ પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં પોરબંદરના મહેર સમાજના લોકો આ રાસની રમઝટ જોવા ઉમટી પડે છે. જ્યારે પુરુષો દ્વારા રમવામાં આવતો મણિયારો રાસ જોવાનો એક અનેરો લ્હાવો છે. વિશ્વ ફલકે પ્રસિદ્ધિ પામનાર મણિયારો રાસ આજે પોરબંદર માટે આ ગૌરવની વાત બની ગયો છે.

ABOUT THE AUTHOR

...view details