ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત સરકાર કોરોના પોઝિટિવ કેસના આંકડા છુપાવી રહી છે: મોઢવાડીયા - કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયા

વિશ્વ આખું કોરોના સંકટ સામે લડી રહ્યું છે. ત્યારે ભારતમાં પણ કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. ગુજરાત દેશભરમાં બીજા ક્રમાંકે હોવાનું મનાઈ રહ્યું છે. ત્યારે ગુજરાત સરકાર કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છુપાવવાની વૃતિ કરી રહી હોય તેવો આક્ષેપ કોંગ્રેસના નેતા અર્જૂન મોઢવાડિયાએ લગાવ્યો છે.

વિશ્વ કોરોના
વિશ્વ કોરોના

By

Published : Apr 28, 2020, 4:22 PM IST

પોરબંદર: કોરોના હટાવવા માટે માત્ર લોકડાઉન પૂરતું નથી. ખરેખર કોરોના સંક્રમણને રોકવા હોય તો તો ટ્રેસિંગ, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ મોડલનો અમલ કરવો જરૂરી છે. તેમ કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કેરલ રાજસ્થાનમાં સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં ટેસ્ટ કરવાની પ્રક્રિયા ઘટાડવામાં આવી રહી છે. જો વધારે ટેસ્ટ કરવામાં આવે તો કોરોના પોઝિટિવની સંખ્યા વધી જાય અને કોરોના પોઝિટિવની સંખ્યા વધતાં ગુજરાત રાજ્ય દેશમાં બીજા નંબરનું રાજ્ય છે. જેમાંથી પ્રથમ ક્રમાંકે પણ આવી શકે તેવી શક્યતાઓ છે. આંકડા છુપાવવા માટે સરકારે ટેસ્ટીંગ ઘટાડ્યું હોય અને હોટસ્પોટ ઝોનમાં ટેસ્ટીંગ કરવું જરૂરી છે.

ગુજરાત સરકાર કોરોના પોઝિટિવના આંકડા છુપાવવાની વૃત્તિ બંધ કરે :મોઢવાડીયા

જ્યાં રાજ્ય સરકારે ટેસ્ટીંગ કરવાનું સદંતર બંધ કર્યું છે. આથી સરકારે WHOની ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ વધુમાં વધુ કરવા અને આંકડા છુપાવવાની વૃત્તિ બંધ કરવા કોંગ્રેસના નેતા અર્જુનભાઈ મોઢવાડિયાએ વિનંતી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details