ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરનાં ગ્રામિણ વિસ્તારમાં પીવાના પાણીની ફરીયાદ અંગે સરકાર દ્રારા ટોલ ફ્રી નંબર જાહેર કરાયો - પીવાના પાણીની ફરીયાદ

પોરબંદર જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં પીવાના પાણીની ફરીયાદ અંગે સરકાર દ્વારા ટોલ ફ્રી નંબરની જાહેરાત કરવામાં આવી હતી.

Etv Bharat, GUjarati News. Porbandar News
Porbandar News

By

Published : Jun 5, 2020, 7:45 PM IST

પોરબંદરઃ ગ્રામીણ વિસ્તારના લોકોને પીવાના પાણીની ફરીયાદ અંગે સરકાર દ્રારા ટોલ ફ્રી હેલ્પ લાઇન નં. 1916 શરૂ કરાયા છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો પીવાના પાણીને લગતી ફરિયાદો જેમ કે, હેન્ડ પંપ રીપેરીંગ, મીની પાઇપ યોજનાનું રીપેરીંગ અને વ્યક્તિગત કે જુથ પાણી પુરવઠા યોજના દ્રારા આપવામાં આવતા પાણી અંગેની કોઇપણ ફરિયાદ નોંધાવી શકાશે.

આ ઉપરાંત પાઇપ લાઇનમાં ભંગાણ કે લીકેજ હોય, પાણીની ચોરી થતી હોય અથવા પાણીનો ખોટો વેડફાટ થતો હોય તેવા કિસ્સામાં પણ ફરિયાદ નોંધાવી શકાશે. જો કોઇ કિસ્સામાં ટોલ ફ્રી નં.1916 વ્યસ્ત જણાય તો તેવા કિસ્સામાં 1800-233-3944 ઉપર પણ ફરિયાદ નોંધાવી શકાશે.

વધુમાં જણાવીએ તો ગુજરાત પાણી પુરવઠા બોર્ડ દ્રારા ઓનલાઇન ફરિયાદ સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. ws.gujarat.gov.in વેબસાઇટના New Complaint સેકશન મારફતે નવી ફરિયાદ નોંધાવી શકાશે.

ABOUT THE AUTHOR

...view details