પોરબંદરઃ જિલ્લામાં 9મે ના રોજ રેશનકાર્ડનો છેલ્લો આંક 5 અને 6 હોય તેને વિનામૂલ્યે અનાજ અપાશે. કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરીવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના 80 હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને જિલ્લાની વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
પોરબંદરમાં 9 મે થી રેશનકાર્ડનો છેલ્લો આંક 5-6 હોય તો વિનામૂલ્યે અનાજ અપાશે - porbandar news
કોરોના વાઇરસની અસરથી સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને સરકારની સુચનાથી પોરબંદર જિલ્લાના 80 હજારથી વધુ NON NFSA APL-1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઇ છે.
![પોરબંદરમાં 9 મે થી રેશનકાર્ડનો છેલ્લો આંક 5-6 હોય તો વિનામૂલ્યે અનાજ અપાશે પોરબંદરમાં 9મેથી રેશનકાર્ડનો છેલ્લો આંક 5 અને 6 હોય તેને વિનામૂલ્યે અનાજ અપાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7120681-448-7120681-1588962439376.jpg)
સાઘન સંપન્ન લોકો સ્વૈચ્છાએ જરુરીયાતમંદ લોકોના હિત ખાતર સરકાર દ્વારા વિતરણ થતા અનાજનો હક્ક જતો કરે તેવી અપીલ કરાઇ છે. રેશનકાર્ડ ધારકના રાશનના નંબરનો છેલ્લા અંક મુજબ રાશન વિતરણ થતુ હોય, જેમના રાશનનો છેલ્લો નંબર 5 અને 6 હોય તેઓને 9મેં ના રોજ વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવશે.
સસ્તા ભાવની દુકાનો ખાતે અનાજ લેવા આવતા તમામ લાભાર્થીઓએ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સામાજિક અંતર રાખવુતથા માસ્ક અથવા રૂમાલથી મોઢું ઢાંકવાનુ રહેશે. માસ્ક નહિ તો અન્ન નહી. NON NFSA APL-1 કાર્ડ ધારકોને રેશનકાર્ડ દીઠ 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો ખાંડ તથા 1 કિલો ચણા/ચણાદાળ વિતરણ કરવામાં આવશે.