ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસ મળતા વૃદ્ધનો આપઘાત - વૃદ્ધનો આપઘાત

પોરબંદરઃ શહેરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસભાઈ અલાભાઈ સીડા નામના વૃદ્ધની ખેતીની જમીન બિનખેતી કરવાની અરજી તેની જાણ બહાર કરવામાં આવી હતી. આ વૃદ્ધએ જમીનની ચિંતામાં વૃક્ષ પર દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદરમાં પોતાની જમીન બિનખેતી કરવાની નોટિસો આવતા વૃદ્ધનો આપઘાત

By

Published : Nov 23, 2019, 11:47 AM IST

પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા સવદાસ આલાભાઈ સીડા(ઉ 76)ની પોરબંદરના એરપોર્ટ પાસે ધરમ પુર નજીકના વોકળા કાંઠે સર્વે નમ્બર 1170 જુના રે.સ .નં.274/2 પૈકીની જમીનમાં 8 વીઘા જમીન ફાળવવામાં આવી હતી,

તેમના પિતાના મૃત્યુ બાદ સવદાસભાઈ ખાતેદાર બન્યા હતા. જ્યારે 19-09-2019ના રોજ આ જમીન અન્ય વ્યક્તીઓ દ્વારા ખોટી રીતે બિન ખેતી નોંધ કરી દેતા તેઓને નોટિસ મળી હતી, જેના કારણે સવદાસભાઈએ જીવન ટૂંકાવ્યાનું તેમના પુત્ર વિરમભાઈએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details