- વાવાઝોડાના કારણે વીજળી ગુલ થાય ત્યારે તાત્કાલિક જનરેટર ચાલુ થઇ જશે
- ઓપરેટરો દ્વારા જનરેટરની ચકાસણી અને ડીઝલના જથ્થાની કરાઈ વ્યવસ્થા
- પોરબંદરના અધિકારીઓએ કર્યું રિહર્સલ
પોરબંદર: એક તરફ કોરોનાની મહામારી ફેલાય છે અને બીજી બાજુ ગુજરાત પર વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આવા સમયે તંત્ર દ્વારા તમામ સરકારી અધિકારીઓને સતર્ક રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને કોરોનાની બિમારીને લઈને જે દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોય ત્યાં વાવાઝોડાના કારણે જો વિજળી ગુલ થાય તો તાત્કાલિક ધોરણે વીજળી મળી રહે તે માટે જનરેટર ફાળવવામાં આવ્યા છે.
વાવાઝોડાના કારણે વીજળી ગુલ થાય ત્યારે તાત્કાલિક જનરેટર ચાલુ થઇ જશે આ પણ વાંચો: મારૂ ગામ કોરોના મુક્ત: વડોદરાનું મોટા ફોફડીયા ગામમાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું
કોવિડ સેન્ટરોમાં ડીઝલ જનરેટરની સુવિધા
વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાં વીજળી ગુલ થાય તો અનેક દર્દીઓના જીવ જોખમમાં મૂકાઇ અને મોટી જાનહાની સર્જાઈ તેની તકેદારી લઈ જિલ્લા કલેક્ટર દ્વારા મળેલી સૂચના મુજબ પોરબંદર જિલ્લાના તમામ કોવિડ સેન્ટરોમાં ડીઝલ જનરેટર રાખવામાં આવ્યા છે અને તાત્કાલિક વીજળી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: પોરબંદરના કોવિડ સેન્ટરમાં દર્દીઓ માટે ઓક્સિજનના બાટલા ઉંચકનાર મજૂરોની કોઈ વ્યવસ્થા નથી : ધાનાણી
પાંચ જ મિનિટમાં વીજળી ચાલુ થઇ જશે તેવી સુવિધા રખાઈ
પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં 250 કિલો વોટ એમપીઆરનું જનરેટર રાખવામાં આવ્યું છે. જ્યાં વાવાઝોડાના કારણે જો વિજળી ગુલ થાય તો પાંચ જ મિનિટમાં વીજળીનો પુરવઠો શરૂ થઈ જશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું.