ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદરમાં ખારવા સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવી કર્યું દાન - Oxygen flowmeter kit

સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે ઓક્સિજન અને ફ્લોમીટર કીટની અછત સર્જાઇ રહી છે. પોરબંદરના ખારવા સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવવામાં આવી છે. જે લોકોને ખૂબ ઉપયોગી નીવડી રહી છે.

પોરબંદરમાં ખારવા સમાજના યુવાનો દ્વારા  ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવી કર્યું દાન
પોરબંદરમાં ખારવા સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવી કર્યું દાન

By

Published : May 2, 2021, 8:14 PM IST

  • પોરબંદરમાં ફ્લોમીટર કીટની અછત સર્જાઈ હતી
  • ફ્લોમીટર કીટ ન મળતા અનેક દર્દીઓ મુશેકલીમાં મુકાયા હતા
  • ખારવા સમાજના યુવાનોએ અત્યાર સુધીમાં દર્દીઓને 200 કીટ આપી

પોરબંદર: વિશ્વભરમાં કોરોનાની મહામારી ફેલાય છે ત્યારે ભારતમાં ઓક્સિજન અને ફ્લોમીટર કીટની અછત સર્જાઇ રહી છે. આવા કપરા કાળમાં દર્દીઓને મદદરૂપ બનવા પોરબંદરના ખારવા સમાજના યુવાનોએ ફ્લોમીટર કીટ બનાવી છે. જે દર્દીઓને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે.

પોરબંદરમાં ખારવા સમાજના યુવાનો દ્વારા ઓક્સિજન ફ્લોમીટર કીટ બનાવી કર્યું દાન

જ્યા જરૂર હોય ત્યાં યુવાનો જઇને કીટ ફિટ કરી આપે છે

પોરબંદરના ખારવા સમાજના યુવાનોએ દાતાઓના સહયોગથી અને ખારવા સમાજના પટેલ ભીખુભાઈ ભીમજીભાઇ ગોહિલના માર્ગદર્શન હેઠળ આવડતને લીધે છેલ્લા એક અઠવાડિયાથી ઓક્સિજન સિલિન્ડરના ફ્લોમીટરની કીટ બનાવવી છે. અત્યાર સુધીમાં ૨૦૦ જેટલી કીટ દર્દીઓને વિનામૂલ્યે આપવામાં આવી છે.મહામારીમાં કોઇપણ નાતજાતના ભેદભાવ વગર માનવ સેવા પ્રભુ સેવા માની આ સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, ત્યારે ખારવા સમાજના પ્રમુખ પ્રેમજી ભાઈ ખુદાઈએ જણાવ્યું હતું કે, કોરોના વાઇરસની મહામારીમાં શક્ય બને તેટલા વધુમાં વધુ લોકોને ઉપયોગી બને તેવા પ્રયાસ ખારવા સમાજ દ્વારા હાથ ધરાઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details