પોરબંદરઃ શહેરમાં મેમણ વાડાના અઝહરી કોલોની અને આસપાસના સમગ્ર, ખત્રીવાડ, તકિયા વિસ્તાર, નગીનદાસ મોદી ,જૂની ખડપીઠ વિસ્તરમાં ખુબ જ ગંદકી ફેલાયેલી છે. આ વિસ્તારમાં નિયમિત સફાઈ કરવામાં આવતી નથી અને રસ્તાના કામ પણ થયા નથી. જેના કારણે ખાડાવાળા રસ્તામાં ગટરનું પાણી ભરાયેલું રહે છે. તેમાં મચ્છરનો ઉપદ્રવ થવાના કારણે આ વિસ્તરમાં રોગચાળો વધી રહ્યો છે. હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આ વિસ્તારમાં ડેન્ગ્યૂ અને મેલેરિયા જેવા રોગો ખૂબ જ પ્રમાણમાં વધી રહ્યા છે.
પોરબંદરમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોએ ઢોલ વગાડી તંત્રને કામ કરવા હાકલ કરી
સામાન્ય રીતે લગ્ન પ્રસંગે ઢોલ વગાડવામાં આવતા હોય છે. પરંતુ પોરબંદરના નાગરિકોએ પોતાના વિસ્તારમાં ગંદકીની સાફ-સફાઇ અને અન્ય કામો ન કરતા નગરપાલિકા કચેરીએ ઢોલ વગાડી તાત્કાલિક કામ કરવાની હાકલ કરી હતી.
આ સમગ્ર વિસ્તરથી ઓરમાયું વર્તન રાખવામાં આવી રહ્યું હોય તેમ રસ્તા પણ બનાવામાં આવ્યા નથી અને ગંદકી પણ સાફ કરવામાં આવતી નથી. આ વિસ્તારોમાં ભુંડ ખાસ કરીને મૂકી જવામાં આવતા હોઈ તે રીતે ભુંડનો ત્રાસ ખૂબ જ વધ્યો છે.
આ વિસ્તરોની મોટાભાગની સ્ટ્રીટ લાઈટ બંધ છે અને વિસ્તરમાં અંધારપટ જેવો માહોલ હોઈ છે. આ તમામમ પ્રશ્નને લઇ સ્થાનીક રહેવાસીઓેએ નગરાલિકાને રજૂઆત કરી હતી. નગરપાલીકા બાકી વેરાઓ જેમ ઢોલ વગાડીને ઉઘરાવે છે તેવી જ રીતે નગરપાલિકાના સત્તાધીશો આ વિસ્તારનો આવાજ સાભરે તેનામાટે ઢોલ વગાડીને રજૂઆત કરવામાં આવી હતી.