ગુજરાત

gujarat

ETV Bharat / state

મધ્યપ્રદેશની યાત્રાળુ મહિલા પર બસચાલક અને કલીનરે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ - બળાત્કાર કેસ

પોરબંદરના રાણાવાવમાં એક યાત્રાળુ બસની યાત્રિક મહિલાએ તેના પર છોટા ઉદયપુરમાં ઢાબા પાસે બસ ઉભી રાખી બસચાલક અને કલીનરે બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી છે.

મધ્યપ્રદેશની યાત્રાળુ મહિલા પર બસચાલક અને કલીનરે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ
મધ્યપ્રદેશની યાત્રાળુ મહિલા પર બસચાલક અને કલીનરે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ

By

Published : Feb 20, 2020, 7:29 PM IST

પોરબંદરઃ મધ્ય પ્રદેશના ખરગોનથી પોરબંદર યાત્રાએ નીકળેલ સોનલ ટ્રાવેલ્સની ખાનગી બસમાં મુસાફરી કરી રહેલ 30 વર્ષની મહિલા યાત્રિકે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું હતું કે તેના પર પ્રવાસ દરમિયાન બળાત્કાર કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં મહિલાયાત્રીએ જણાવેલી વિગત પ્રમાણે ગત રાત્રિના 10.15 કલાકે પોતે નશાની હાલતમાં હતી તે દરમિયાન છોટા ઉદયયપુર જિલ્લાના એક ઢાબા પર બસ ઉભી હતી તે દરમિયાન અન્ય યાત્રાળુઓ નાસ્તો કરવા નીચે ઉતર્યા હોય અને તકનો લાભ લઇને બસ ચાલક નાના અને કલીનર કપિલે મહિલાને બસની કેબિન પર લઈ જઈને વારંવાર બળાત્કાર કર્યો હતો. મહિલાએ રાણાવાવ પોલીસને સમગ્ર બાબતની જાણ કરતાં પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મધ્યપ્રદેશની યાત્રાળુ મહિલા પર બસચાલક અને કલીનરે બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ નોંધાઈ

ABOUT THE AUTHOR

...view details