ગુજરાત

gujarat

ETV Bharat / state

પોરબંદર પોલીસ સ્ટાફે રક્તદાન કરી ‘રક્તદાન એ મહાદાન’નો પાઠવ્યો સંદેશો

પોરબંદરઃ ‘રક્તદાન એ મહાદાન’ પરંતુ બ્લડ ન મળવાને કારણે આજે ઘણાં લોકો પોતાનો જીવ ગુમાવે છે. ઘણીવાર હોસ્પિટલમાં એક તરફ દર્દીઓને રક્તની જરૂર હોય ત્યારે રક્ત મળતું નથી, પરંતુ ખરેખર આ સમયે વહેલી તકે રક્ત મળી જાય તવા માટે અનેક લોકોનો જીવ પણ બચી જાય છે.

By

Published : Jun 3, 2019, 8:51 PM IST

રક્તદાન કરતા પોલીસ સ્ટાફ

રક્તદાનએ મહાદાનના ઉદેશને ધ્યાનમાં રાખી લોકોને મદદરૂપ થવા સરકારી હોસ્પિટલ ખાતે રેડ ક્રોસ સોસાયટી તથા આશા ચિલ્ડ્રન બ્લડ બેન્ક અને પોલીસ વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં SP પાર્થરાજસિંહ ગોહિલએ રક્તદાનની શરૂઆત કરી 100 જેટલા પોલીસ જવાનોએ રક્તદાન કરી રક્તદાન મહાદાનનો સંદેશો આપ્યો હતો.

પોલીસ સ્ટાફે રક્તદાન કરી ‘રક્તદાન એ મહાદાન’નો પાઠવ્યો સંદેશો

ABOUT THE AUTHOR

...view details