સંવિધાન બચાવો મંચ દ્વારા CAA અને NRCના સમર્થનમાં આવેદનપત્ર પાઠવાયું - પોરબંદર જિલ્લા કલેકટર
પોરબંદર : સંવિધાન બચાવો મંચ દ્વારા CAA અને NRCના સમર્થનમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ તકે અગ્રણી સંસ્થાઓના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
![સંવિધાન બચાવો મંચ દ્વારા CAA અને NRCના સમર્થનમાં આવેદનપત્ર પાઠવાયું Porbandar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5467158-thumbnail-3x2-por.jpg)
પોરબંદર
પોરબંદરમાં સંવિધાન બચાવો મંચ દ્વારા CAA અને NRCના સમર્થનમાં મંચના આગેવાનો જિલ્લા કલેકટરને રૂબરૂ સમર્થન આપી આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર દ્વારા પારીત કાયદાનું સમર્થન કરવામાં આવ્યું હતું. તેમજ અગ્રણી સંસ્થાઓના મુખ્ય આગેવાનો આ તકે ઉપસ્થિત રહીને રાષ્ટ્ર પ્રેમનું ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું.