પોરબંદરમાં લોકોને વાવાઝોડાને કારણે સ્થળાંતરિત કર્યા બાદ શું છે સ્થિતી... - vayu cyclone
પોરબંદર: વાયુ વાવાઝોડાના અસરની ગઈકાલે આગાહી કરાઇ હતી. જેના પગલે નીંચાણવાળા એરિયામાં રહેતા લોકોને અન્ય આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કર્યા હતા. જેમાં પોરબંદરના મીલપરા વિસ્તાર બી બજાર વિસ્તાર સહિતના લોકોને અન્ય આશ્રય સ્થાનો પર ખસેડાયા હતા જ્યાં તેની સ્થિતિ કેવી છે તે અંગે Etv Bharat ભારતની ટીમ સ્થાન ઉપર પહોંચી હતી અને તેમના મંતવ્ય જાણ્યા હતા.
![પોરબંદરમાં લોકોને વાવાઝોડાને કારણે સ્થળાંતરિત કર્યા બાદ શું છે સ્થિતી...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3558544-thumbnail-3x2-pbr.jpg)
પોરબંદર
આશ્રયસ્થાન પર રહેતા વિવિધ બજારના 250-300 લોકોએ જણાવ્યું હતું કે, ગઈકાલથી તેઓ આ સ્થાન પર રહે છે અને તેઓને મેડિકલ સહિત જમવા તેમજ રહેવાની સંપૂર્ણ સુવિધા આપવામાં આવી છે પરંતુ વાવાઝોડાના કારણે તેઓના ઘરના ઉપરના છાપરા ઉડી ગયા હતા. તેમજ તેઓએ સરકાર સમક્ષ વિનંતી કરી હતી કે, તેઓ કાયમી ગુજરાન ચલાવી શકે તેવી કોઇ વ્યવસ્થા સરકાર કરી આપવામાં આવે.
પોરબંદરમાં લોકોને વાવાઝોડાને કારણે સ્થળાંતરિત કર્યા બાદ શું છે સ્થિતી
Last Updated : Jun 14, 2019, 4:49 PM IST