ગુજરાત

gujarat

પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

By

Published : Apr 29, 2021, 1:03 PM IST

સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે અલગ-અલગ શહેરોમાં પણ રાત્રિ કરફ્યૂ તેમજ સ્વયંભૂ લોકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. પોરબંદરમાં રાત્રિ કરફ્યૂ લાદવામાં આવ્યું છે. ત્યારે લોકો જાણે કોરોનાથી ડરતા ન હોય તેમ જાહેરનામાંનો ભંગ કરતા પણ જોવા મળી રહ્યા છે.

પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ
પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

  • કોઈ કારણ વગર રખડતા લોકો સામે પોલીસની કડક કાર્યવાહી
  • રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં કોરોના કરફ્યૂ લાદવામાં આવ્યો છે
  • પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા રાત્રિના કડક પેટ્રોલીંગ હાથ ધરાયું

પોરબંદરઃ રાજ્ય સરકાર દ્વારા 29 શહેરોમાં રાત્રે 8થી સવારે 6 સુધી કોરોના કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આ જાહેરનામાંનો અમલ કરવા માટે પોરબંદર જિલ્લામાં પણ પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું અને શહેરના મુખ્ય રસ્તા પર પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. 33 જેટલા લોકો સામે જાહેરનામાં ભંગનો ગુનો નોંધાયો છે.

પોરબંદરમાં રાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 33 લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

આ પણ વાંચોઃરાત્રિ કરફ્યૂનો ભંગ કરતા 400થી વધુ લોકો સામે જૂનાગઢ પોલીસે કરી કાર્યવાહી

લોકોને ઘરમાં રહી સુરક્ષિત રહેવા પોલીસની અપીલ

કોરોનાની મહામારી રાજ્યભરમાં વધતી જાય છે. ત્યારે મોતના આંકડાઓ પણ વધતા જાય છે, જો સંક્રમણ અટકાવવામાં નહીં આવે તો તમામ લોકો મુશ્કેલીમાં મુકાઇ તેવી સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા કોરોના કરફ્યૂ લાદવામાં આવ્યો છે. ત્યારે આ કરફ્યૂનો લોકો ચુસ્તપણે પાલન કરે અને ઘરમાં રહી પોતાના પરિવારને અને પોતે સુરક્ષિત રહે તે હેતુસર પોલીસે પણ અપીલ કરી છે. કોઈપણ કારણ વગર ઘરની બહાર લોકો ના નીકળે અને પોરબંદરને સુરક્ષિત રાખે તેવી અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details