ગુજરાત

gujarat

ETV Bharat / state

Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ - Lok Darbar at Patan University

પાટણ જિલ્લામાંથી છેલ્લા એક મહિનામાં વ્યાજખોરો સામે કુલ 27 ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદના આધારે 40 વ્યાજખોરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને લઈને ગેરકાયદેસર વ્યાજખોરીનો ધીકતો ધંધો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ
Usurer Case in Gujarat: વ્યાજખોરી ખતમ કરવા પોલીસનું લોક દરબાર, 27 ફરિયાદ 40ની ધરપકડ

By

Published : Feb 8, 2023, 2:30 PM IST

Updated : Feb 8, 2023, 5:06 PM IST

પાટણ જિલ્લામાં વ્યાજખોરો સામે 27 ફરિયાદ 40ની ધરપકડ કરાઈ

પાટણ : ગુજરાતમાં વધી રહેલા વ્યાજખોરીના દુષણને ડામવા બાબતે સમગ્ર રાજ્યમાં ગૃહ વિભાગની સૂચનાથી પોલીસ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ દ્વારા પણ પાટણ ખાતે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં સરહદી રેન્જના IGP જે.આર. મોથલિયાની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા 10 જેટલા લોક દરબાર યોજવામાં આવ્યા હતા. જેમાં 27 જેટલી ફરિયાદ નોંધાઇ છે.

પોલીસે કરી અપીલ : સિધ્ધપુર, રાધનપુર અને ચાણસ્મા વિસ્તારમાં પણ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. વ્યાજખોરોની કનડગતનો ભોગ બનેલા લોકો ડર્યા વિના પોલીસને જાણ કરે તો તાત્કાલિક પગલાં લેવામાં આવશે તેવી અપીલ કરવામાં આવી હતી. શહેર સહિત જિલ્લાના લોકોને વ્યાજખોરોની ચુંગલમાંથી છોડાવવા માટે પાટણ પોલીસ દ્વારા વિવિધ સેમિનાર તેમજ લોક દરબાર યોજવામાં આવ્યા હતા.

લોક દરબાર

આ પણ વાંચો :Usurers Case in Gujarat: વ્યાજખોરીના વિષચક્ર સામે સરકાર મેદાને, 1400થી વધુ વસૂલીઓ સામે ગુનો

10 લોક દરબારમાં 27 ફરીયાદ : પાટણ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા 10 જેટલા લોક દરબાર યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે વ્યાજખોરોથી પરેશાન થયેલા લોકોએ જાગૃત થઈ ફરિયાદ નોંધાવાની હિંમત કરી હતી. જેમાં પાટણ જિલ્લામાં એક માસ દરમિયાન કુલ 27 જેટલી ફરિયાદ નોંધાઇ છે. કલમ 384 અને 506ની સાથે પોલીસ તંત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં એક માસ દરમિયાન 40 જેટલા વ્યાજખોરોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Loan Assistance: એક જ દિવસમાં 300થી વધુ લોકોએ 100 નંબર પર કોલ કર્યો, સરળતાથી લોન મળી

પોલિસના જનજાગૃતિના કાર્યક્રમો સફળ :પાટણ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી શહેર સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં અને તાલુકા મથક પર વ્યાજખોરી બાબતે જનજાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેના ભાગરૂપે વ્યાજખોરોની કનડગતનો ભોગ બનેલા 27 લોકો પોલીસ સામે આવ્યા હતા. વ્યાજખોરો સામે હિંમત પૂર્વક ફરિયાદ નોંધાવતા પોલીસે પણ વ્યાજખોરો સામે ત્વરિત એક્શન લઈ 40 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. જેને લઈને અન્ય વ્યાજખોરો ભૂગર્ભમાં જતા રહ્યા છે. ખાસ કરીને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જે સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવી હતી તે સફળ થઈ છે. પોલીસ તંત્ર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી અને આરોપીઓની ધરપકડ થઈ તે મામલે પાટણ SP વિજય પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Last Updated : Feb 8, 2023, 5:06 PM IST

ABOUT THE AUTHOR

...view details