ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં જમિયત-ઉલ્મા-એ-હિન્દ દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી - 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

જમિયત-ઉલ્મા-એ-હિન્દ પાટણ દ્વારા 71માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરમાં એક કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી, તેમજ શહેરના બગવાડા ખાતે બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સામૂહિક રીતે બંધારણના આમુખનું જાહેરમાં વાંચન કરી સંવિધાન પ્રત્યે સન્માન અને તેના નિષ્ઠાપૂર્વક પાલનનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ETV BHARAT
જમિયત ઉલ્મા એ હિન્દ દ્રારા તિરંગા યાત્રા યોજવામાં આવી

By

Published : Jan 26, 2020, 7:46 PM IST

પાટણ: સમગ્ર દેશમાં 71માં પ્રજાસત્તાક પર્વની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાટણમાં જમિયત ઉલેમા એ હિન્દ દ્વારા શહેરની આશિષ વિદ્યાલય ખાતે ધ્વજ વંદન કરી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળા પરિવાર સહિત મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી.

જમિયત ઉલ્મા એ હિન્દ દ્રારા તિરંગા યાત્રા યોજવામાં આવી

કાર્યક્રમ દરમિયાન જમિયત ઉલેમા એ હિન્દ પાટણ દ્વારા શાળા પરિવારને બંધારણ ઘર અર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બંધારણના મુળભુત અધિકારો, ફરજો અને રાષ્ટ્ટીય પ્રતીકો દર્શાવેલા હતા. ત્યારબાદ વિશાળ તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાટણના મુખ્ય માર્ગો પર નીકળતા સમગ્ર વાતાવરણ દેશભક્તિ મય બની ગયું હતું. રેલીમાં હિન્દૂ મુસ્લિમ એકતા અને અખંડિતતા સાથે કોમી એખલાસની ભાવના બની રહે, તે માટે અપીલ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details