ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓની શહીદોને શ્રદ્ધાંજલિ - PATAN NEWS

જમ્મુ કાશ્મીરના પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ શહીદ વીર જવાનોની યાદમાં રેલી યોજી શ્રદ્ઘાંજલિ આપી હતી.

patan
જમ્મુ

By

Published : Feb 14, 2020, 4:01 PM IST

પાટણ : 14 ફેબ્રુઆરી 2019ના દિવસે ભારતના જમ્મુ કાશ્મીરના પુલવામાં જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સુરક્ષા જવાનોને લઈ જતા વાહનોના કાફલા પર વાહનથી આત્મઘાતી બોમ્બર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલિસ ફોર્સના 44 જવાનોના મોત નિપજ્યા હતા.

પાટણ આર્ટ્સ કોલેજના વિધાર્થીઓએ રેલી યોજી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

ત્યારે આજે વીર શહીદોની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પાટણ પી.કે.કોટવાલા આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરીને પુલવામા શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના ભાગરૂપે આર્ટ્સ કોલેજ ખાતેથી જય જવાન અને શહીદો અમર રહોના નારા સાથે વિદ્યાર્થીઓએ રેલી યોજી શહીદવીરોને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ રેલીમાં મોટા ભાગના વિદ્યાર્થીઓએ કાળો પોશાક ધારણ કરી રેલીમાં જોડાયા હતા. રેલી કોલેજથી નીકળી પાલિકા બજાર, રેલવે સ્ટેશન, બગવાડા દરવાજા થઈ કોલેજ પરત ફરી હતી. રેલીના માર્ગમાં વિદ્યાર્થીઓએ શહીદો અમર રહોના નારા લગાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details