પાટણમાં સોસાયટીનો મુખ્ય દરવાજો પડતા બાળકનું મોત - The death of a child in Patan
પાટણ: શહેરની રોટરીનગર સોસાયટીના 5 વર્ષીય આર્યન ઠાકોર નામનો બાળક સવારે રમી રહ્યો હતો. જે દરમિયાન જુના કાલિકા મંદીરના પાછળના ભાગે આવેલ પ્રભુ કૃપા સોસાયટીના પ્રવેશ દ્વારનો વજનદાર ગેટ એકાએક બાળક પર પડતા બાળકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળે જ બાળકનું મોત નીપજ્યું હતું. બાળકનું ઘટના સ્થળે મોત નીપજતાં પરિવારમાં શોક છવાયો હતો.
![પાટણમાં સોસાયટીનો મુખ્ય દરવાજો પડતા બાળકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5160904-thumbnail-3x2-patan.jpg)
પાટણમાં સોસાયટીનો ગેટ પડતા બાળકનું મોત
આ સમગ્ર ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. બાળકનાં મોતના કરણે પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. સોસાયટીના મુખ્ય ગેટ પડતા બાળકનું મોત નીપજયું હતું.
પાટણમાં સોસાયટીનો ગેટ પડતા બાળકનું મોત