ગુજરાત

gujarat

Railway Overbridge In Siddhpur: ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતમાં 200થી વધુ ઓવરબ્રીજનું કરાશે નિર્માણ

By

Published : Apr 9, 2022, 10:46 PM IST

સિદ્ધપુરના ખળી ચાર રસ્તા પાસે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ (Railway Overbridge In Siddhpur)નું ગુજરાતના માર્ગ અને મકાન પ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ બ્રિજ 44 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજના કારણે લાલપુર બીલીયા અને કહોડા સહિતના ગામો અને સિદ્ધપુરના નાગરિકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે.

ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતમાં 200થી વધુ ઓવરબ્રીજનું કરાશે નિર્માણ
ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ગુજરાતમાં 200થી વધુ ઓવરબ્રીજનું કરાશે નિર્માણ

પાટણ: માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ સિદ્ધપુરના ખળી ચાર રસ્તા (khali char rasta siddhpur) પાસે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજ (Railway Overbridge In Siddhpur)નું લોકાર્પણ કર્યું હતું. રૂપિયા 44.40 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામો તથા સિદ્ધપુર શહેરના નાગરિકોને વારંવાર બંધ થતી ફાટકના કારણે ઊભી થતી ટ્રાફિકની સમસ્યા (Traffic problems In Siddhpur)થી મુક્તિ મળશે. સિદ્ધપુર ખાતે માર્ગ અને મકાન પ્રધાને નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.

સિદ્ધપુર ખાતે માર્ગ અને મકાન પ્રધાને નવનિર્મિત રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું.

સમગ્ર ગુજરાતને ફાટકમુક્ત કરવાની સરકારની નેમ-44 કરોડથી વધુના ખર્ચે (Siddhpur Railway Overbridge Cost) તૈયાર થયેલા રેલવે ઓવરબ્રિજથી લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામો અને સિદ્ધપુરના નાગરિકોનેટ્રાફિક સમસ્યાથી મુક્તિ મળશે. હાલના એલ.સી. નં. 191 રેલવે રૂટ પર સિંગલ ટ્રેક પર માલવાહક ટ્રેન ઉપરાંત આવનારા સમયમાં વધુ 02 માલવાહક અને 01 પેસેન્જર ટ્રેન ટ્રેકના કારણે ઊભા થનારા પરિવહન અવરોધને ધ્યાને લઈ લાલપુર, બીલીયા અને કહોડા સહિતના ગામોને રાજ્ય ધોરિમાર્ગ 41 (state highway 41 gujarat)થી જોડતાં રૂપિયા 44.40 કરોડના ખર્ચે નવનિર્મિત રેલવે ઓવરબ્રીજથી આ વિસ્તારમાં પરિવહનની સુવિધા (Transportation facility Siddhpur) વધુ સુગમ, સલામત અને સરળ બનશે.

આ પણ વાંચો:ખાડા પુરાણ અભિયાન 90 ટકા સુધી પૂર્ણ થઇ ગયું છે: પુર્ણેશ મોદી

ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે-આ પ્રસંગે માર્ગ અને મકાન પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, વિકાસપુરૂષ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી ગુજરાત સરકારનો માર્ગ અને મકાન વિભાગ ફાટકમુક્ત ગુજરાતની નેમ સાથે આગળ વધી રહ્યો છે. ત્યારે આ રેલવે ઓવરબ્રીજના કારણે સિદ્ધપુર શહેર અને આસપાસના ગામોના લાખો લોકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે.

આ પણ વાંચો:Gujarat Assembly 2022: વિધાનસભા ગૃહમાં માર્ગ મકાન વિભાગની જાહેરાત, અનેક રસ્તાઓ પ્રોજેક્ટ થશે તૈયાર

રાજ્યમાં 200થી વધુ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે-તેમણે કહ્યું કે, મુંબઈથી દિલ્હી સુધી માલવાહક ટ્રેનો (Cargo train from Mumbai to Delhi)ના આવાગમનના કારણે વારંવાર બંધ થતા ફાટકથી નાગરિકોને મુશ્કેલી ન પડે અને સમયની સાથે ઈંધણની પણ બચત થાય તે માટે આ ઓવરબ્રીજ ઉપયોગી નિવડશે. અને ફાટકમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં 200થી વધુ ઓવરબ્રીજનું નિર્માણ કરવામાં આવશે.આ પ્રસંગે GIDCના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂતે વારંવાર ફાટક બંધ થતાં સિદ્ધપુર વિસ્તારના લોકોને પડતી અગવડ, લોકમાંગણી અને રાજ્ય સરકાર દ્વારા ત્વરિત મંજૂરી સહિતની બાબતોનો ઉલ્લેખ કરી નવીન બ્રીજની ભેટ બદલ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details