ગુજરાત

gujarat

By

Published : Sep 23, 2022, 8:34 PM IST

Updated : Sep 24, 2022, 6:10 AM IST

ETV Bharat / state

રોષે ભરાયેલા પાંજરાપોળના સંચાલકો છૂટી મૂકી ગાયો, અંતે પોલીસે થાળે પાડ્યો મામલો

પાટણ નજીક આવેલા ખલીપુર પાંજરાપોળના સંચાલકોએ સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળાઓ માટે 500 કરોડની સહાયની જાહેરાત થઈ હતી. જાહેરાત કર્યાના સાત મહિનાનો સમયગાળો થયો હોવા છતાં સરકાર દ્વારા રાજ્યની એક પણ ગૌશાળા કે પાંજરાપોળના સંચાલકોને સહાય ચૂકવી નથી. જેથી પાંજરાપોળના સંચાલકોએ ગાયોને એકત્ર કરી સરસ્વતી મામલતદાર કચેરી (Saraswati Mamlatdar Office) ખાતે લઈ જવા (Patan Khalipur Panjrapol Managers Protest ) નીકળ્યા હતા. જે બાદ પોલીસે મામલો થાળે પાડ્યો હતો.

રોષે ભરાયેલા પાંજરાપોળના સંચાલકો છૂટી મૂકી ગાયો, અંતે પોલીસે થાળે પાડ્યો મામલો
રોષે ભરાયેલા પાંજરાપોળના સંચાલકો છૂટી મૂકી ગાયો, અંતે પોલીસે થાળે પાડ્યો મામલો

પાટણશહેર નજીક આવેલા ખલીપુર પાંજરાપોળના (Patan Khalipur Panjrapol managers Protest) સંચાલકોએ સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાંજરાપોળમાં રાખેલી તમામ ગાયોને સરસ્વતી મામલતદાર કચેરી(Saraswati Mamlatdar Office) ખાતે લઈ જવા નીકળ્યા તે દરમિયાન પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. પાંજરાપોળના સંચાલકો સાથે ચર્ચાઓ કરી હતી. છેવટે પોલીસની દરમિયાનગીરીથી સંચાલકો ગાયોને પાંજરાપોરમાં લઈ ગયા હતા.

સરકારે સહાયના ચૂકવતા સંચાલકોમાં ભારે રોષ

અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો સમગ્ર રાજ્યમાં ગૌશાળાઅને પાંજરાપોળમાં રહેતી ગાયો માટે સરકાર દ્વારા ગૌ પોષણ યોજના(Cow Nutrition Scheme by Government) અંતર્ગત 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે અને આ સહાયથી પાંજરાપોળ અને ગૌશાળામાં રહેતી ગાયોને તમામ પ્રકારની સુવિધાઓ મળતી થશે, પરંતુ જાહેરાત કર્યાના સાત મહિનાનો સમયગાળો થયો હોવા છતાં સરકાર દ્વારા રાજ્યની એક પણ ગૌશાળા કે પાંજરાપોળના સંચાલકોને સહાય ચૂકવી નથી. જે મામલે સંચાલકો દ્વારા અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં હજી સુધી સહાય ન ચૂકવતા સંચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખલીપુર પાંજરાપોળના સંચાલકો ગાયોને લઇ મામલતદાર કચેરીએ જવા નીકળ્યા

પોલીસે સંચાલકોને સમજાવ્યાસરકારની સહન ઠેકાણે લાવવા માટે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ કાર્યક્રમો સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ નજીક ખલીપુરમાં આવેલી પાંજરાપોળના સંચાલકોએ પાંજરાપોળમાં રહેલી ગાયોને એકત્ર કરી સરસ્વતી મામલતદાર કચેરી ખાતે લઈ જવા નીકળ્યા હતા. જે અંગેની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી. ગૌશાળાના પાંજરાપોળના સંચાલકો સાથે ચર્ચાઓ કરી હતી. પોલીસની સમજાવટ (Police convinced the Panjrapol managers) બાદ સંચાલકો ગાયોને પાંજરાપોળમાં લઈ ગયા હતા.

પાંજરાપોળમાં આવતી દાનની રકમ પણ ઓછીપાંજરાપોળના સંચાલકે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળાઓ માટે 500 કરોડની સહાયની જાહેરાત (Government announces crores of aid to Cowsheds) કરી છે. જેને કારણે પાંજરાપોળમાં આવતી દાનની રકમ (Panjrapol receives less donations) પણ ઓછી થઈ છે. જેને કારણે પાંજરાપોળમાં રહેલા પશુઓનું જીવન નિર્વાહ ચલાવવું સંચાલકો માટે મુશ્કેલ બન્યું છે.

Last Updated : Sep 24, 2022, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details