ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા રસ્તા પર જ ઓક્સિજન અપાયો - Patan corona NEWS

પાટણ શહેરના પારેવા સર્કલ પાસે સાંતલપુર તાલુકાના હીરાપુર ગામેથી સારવાર અર્થે આવેલા કોરોના સંક્રમિત યુવાનનું ઓક્સિજન લેવલ એકાએક ઘટી જતા રોડ પર જ તરફડવા લાગ્યો હતો. યુવકની એકાએક હાલત બગડતા પરિવારજનો હતપ્રત બન્યા હતા. આ અંગેની જાણ પાટણના મીડિયાકર્મીઓને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને યુવાનનો ઘરગથ્થુ ઉપચાર શરૂ કર્યો હતો. આ સમયે એક સંસ્થાના યુવાનો ઓક્સિજન સિલિન્ડર સાથે દોડી આવ્યા હતા અને રોડ પર જ તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પાટણમાં કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા રસ્તા પર જ ઓક્સિજન અપાયો
પાટણમાં કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા રસ્તા પર જ ઓક્સિજન અપાયો

By

Published : Apr 25, 2021, 9:34 PM IST

  • યુવકનું ઓક્સિજન લેવલ ઘટી જતાં રસ્તામાં તબિયત બગડી
  • સેવાભાવી યુવાનો દ્વારા ઓક્સિજનની કરાઈ વ્યવસ્થા
  • વધુ સારવાર માટે પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

પાટણ: રવિવારે સાંતલપુર તાલુકાના હિરાપુરા ગામના અરજણભાઈ ચૌધરી નામના કોરોનાગ્રસ્ત યુવાનને લઈને તેના પરિવારજનો પાટણ આવ્યા હતા. જ્યાં દર્દીને સારવાર મળી રહે તે માટે હોસ્પિટલના ચક્કર કાપી રહ્યા હતા. તેવા સમયે પારેવા સર્કલ પાસે આ યુવાનનું ઓક્સિજન લેવલ એકાએક ઘટી જતાં તેને નજીકમાં આવેલા એક વૃક્ષ નીચે સુવડાવીને મદદ માટે પરિવારજનો દોડાદોડી કરવા લાગ્યા હતા. પાટણના કેટલાક મીડિયાકર્મીઓએ પણ મદદ કરી હતી. આ દરમિયાન પેરામેડિકલ ટીમ અને હોલી એલિક્ઝર ડોનર ટીમના સભ્યો વિલાજ પાર્ટી પ્લોટમાંથી ઓક્સિજન સિલિન્ડર લઈને આવી પહોંચ્યા હતા અને યુવકને ઓક્સિજન આપીને વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

પાટણમાં કોરોના દર્દીનું ઓક્સિજન લેવલ ઘટતા રસ્તા પર જ ઓક્સિજન અપાયો

કોરોનાને કારણે રાજ્યભરમાં કપરી પરિસ્થિતિ

સમગ્ર રાજ્યમાં કોરોનાને લઈને ખૂબ જ ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યભરમાં એક તરફ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં જગ્યા નથી મળી રહી અને શ્વાસ રૂંધાતા ઓક્સિજન પણ નથી મળી રહ્યો. પાટણ શહેરમાં છેલ્લા 20 દિવસથી કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં સમયસરની સારવાર અને ઓક્સિજન બેડની અછતને કારણે કેટલાય લોકો મોતને ભેટી રહ્યા છે. જેને લઇને હ્રદય દ્રાવક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રવિવારે આ યુવાનનો ઘરગથ્થુ ઉપચાર અને સેવાભાવી સંસ્થાના કારણે ઓક્સિજન સમયસર મળી રહેતા જીવ બચ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details