ગુજરાત

gujarat

By

Published : May 6, 2021, 10:26 AM IST

ETV Bharat / state

સિદ્ધપુરનું કનેસરા ગામ સ્વયંશિસ્તથી કોરોનામુક્ત બન્યું

પાટણ જિલ્લામાં અનેક ગામોએ કોરોનાની બીજી લહેર વખતે સ્વૈચ્છિક લોકડાઉન અને સ્વયંશિસ્તના પાલનથી કોરોના સામે લડાઈ છેડીને પોતાના ગામને કોરોનામુક્ત કર્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનો સ્વયં આગળ આવ્યા છે અને ગામને આ વિકટ મહામારીમાંથી ઉગાર્યું છે.

સિદ્ધપુરનું કનેસરા ગામ સ્વયંશિસ્તથી કોરોનામુક્ત બન્યું
સિદ્ધપુરનું કનેસરા ગામ સ્વયંશિસ્તથી કોરોનામુક્ત બન્યું

  • ગામના લોકોએ સ્વૈચ્છિક લૉકડાઉનથી કોરોનાને હરાવ્યો
  • સરપંચે 17 લોકોની ટીમ બનાવી વિવિધ જવાબદારી સોંપી
  • ગામના લોકોએ સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકી સૂચનાઓનું પાલન કર્યું

પાટણઃ સિદ્ધપુર તાલુકાનું કનેસરા ગામ પાટણ હાઈવે પર આવેલું છે. આ ગામના લોકોએ થોડાક સમય પહેલાં કેટલાંક લોકોને કોરોનાના લક્ષણો દેખાતા તેમને તાત્કાલિક હોમ આઈસોલેશનમાં રાખ્યા હતા. આ સાથે જ સ્વયંશિસ્તની મદદથી ગામને કોરોનામુક્ત કરી દીધું છે.

આ પણ વાંચોઃજૂનાગઢના કેશોદમાં આવેલો આંબેડકરનગર વિસ્તાર કોરોનામુક્ત બન્યો

ગામના લોકોએ સરપંચની સૂચનાનું પાલન કર્યું

કનેસરા ગામના સરપંચે ગામમાં આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને મોટા પાયે ટેસ્ટિંગની કામગીરી કરી હતી. સરપંચે ગામના યુવાનો સાથે મળીને વિવિધ પ્રધાનો સહિત 17 લોકોની ટીમ બનાવીને તેમને વિવિધ જવાબદારી સોંપી હતી. સરપંચે ગ્રામજનોને થોડાક દિવસો સુધી સ્વૈચ્છિક લૉકડાઉનનું પાલન કરવા માટે સમજાવ્યા હતા, જેથી ગામમાં આગળ વધતી કોરોના સંક્રમણની ચેઈનને તોડી શકાય. ગ્રામજનોએ પણ સામાજિક કાર્યક્રમો સહિતની બાબતો પર પાબંદી મૂકીને પૂરો સહકાર આપ્યો હતો.

ગામના લોકોએ સ્વૈચ્છિક લૉકડાઉનથી કોરોનાને હરાવ્યો
આ પણ વાંચોઃજામનગરના ગ્રામવિસ્તારોને કોરોનામુક્ત કરવા તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી

ગામમાં નિયમિત સર્વેલન્સ કરાતું હતું

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાવવામાં આવેલી અધિકારીઓ અને કર્મચારીઓની ટીમ દ્વારા ગામમાં નિયમિત રીતે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું, જેથી ગામમાં કોરોનાની પરિસ્થિતિ પર નજર રાખી શકાય. કનેસરા ગામમાં સુરત કે અમદાવાદ જેવા શહેરોમાંથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને હોમ આઈસોલેશનનું પાલન કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું.

ગામના લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી કોરોનાને હરાવ્યો

ગામની આસપાસ આવેલી ફેક્ટરીમાં રોજગાર માટે જતા લોકો પણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. સરપંચ દ્વારા ગામને કોરોના સામે સજ્જ રહેવા સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં રહીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યુવા સરપંચ દ્વારા અગમચેતીના પગલાં રૂપે ગામમાં કોઈ કોરોનાના દર્દીને ઓક્સિજનની જરૂર પડે તો ગામમાં જ સુવિધા મળી રહે એ માટે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કનેસરા ગામમાં અત્યારે એક પણ કોરોનાનો કેસ નથી

ગયા વર્ષે કોરોના મહામારીની શરૂઆતમાં ગામને સલામત રાખવા માટે અસરકારક પગલાં કનેસરાના ગ્રામજનો દ્વારા ભરવામાં આવ્યા હતા. આ વખતે પણ પૂરતી સજ્જતા દાખવીને ગ્રામજનોએ કોરોનાને પડકાર આપવાનું નક્કી કરી લીધું છે અને અત્યારે ગામમાં માત્ર એક જ એક્ટિવ પોઝીટીવ કેસ છે.

ABOUT THE AUTHOR

...view details