ગુજરાત

gujarat

ETV Bharat / state

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યનું કાર્ડ એ કોઈ સેવા ન હતી, ફક્ત પબ્લિસિટી સ્ટંટ: અલ્પેશ ઠાકોર

રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોનું દિવાળી સ્નેહ મિલન અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (Gujarat Assembly Election 2022) હવે દિવસોની ગણતરી બાકી છે. તેવામાં અલ્પેશ ઠાકોરનો રઘુ દેસાઈ (Radhanpur Congress MLA) દ્વારા મત મેળવવા માટે આરોગ્ય કાર્ડ વિતરણ કરી રાજકીય સ્ટંટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

By

Published : Nov 9, 2022, 4:00 PM IST

રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યનું કાર્ડ એ કોઈ સેવા ન હતી, ફક્ત પબ્લિસિટી સ્ટંટ: અલ્પેશ ઠાકોર
રાધનપુર કોંગ્રેસના ધારાસભ્યનું કાર્ડ એ કોઈ સેવા ન હતી, ફક્ત પબ્લિસિટી સ્ટંટ: અલ્પેશ ઠાકોર

પાટણરાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકરોનું દિવાળી સ્નેહ મિલન (Diwali gathering of BJP leaders and workers) પૂર્વ ધારાસભ્ય (Former MLA) અલ્પેશ ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે ભાજપનું કમળ લઈને આવનાર વ્યક્તિને જીતાડવા માટે કાર્યકરો આગેવાનોને અનુરોધ કર્યો હતો.રઘુ દેસાઈ દ્વારા મત મેળવવા માટે આરોગ્ય કાર્ડ વિતરણ (Distribution of health cards) કરી રાજકીય સ્ટંટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

અલ્પેશ ઠાકોરનો રઘુ દેસાઈ દ્વારા મત મેળવવા માટે આરોગ્ય કાર્ડ વિતરણ કરી રાજકીય સ્ટંટ કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.

સ્નેહ મિલનમાં પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો એક મંચ ઉપસ્થિત રહ્યા હતાગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) દિવસે દિવસે નજીક આવી રહી છે. ત્યારે રાધનપુર ખાતે પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યકરોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય શંકર ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અલ્પેશ ઠાકોરનો વિરોધ કરનારા પૂર્વ ધારાસભ્યો અને લવિંગજી ઠાકોર નાગરજી ઠાકોર સહિતના આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા હતા.

રાધનપુર ખાતે પૂર્વ ધારાસભ્ય અને ઠાકોર સેનાના અગ્રણી અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં કાર્યકરોનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.

રોડ રસ્તા અને પાણીની સમસ્યા રાધનપુર વિસ્તારમાં રોડ રસ્તા અને પાણીની સમસ્યાથી (Roads and water problems) આજે પણ લોકો પીડાઈ રહ્યા છે. આપણા રાધનપુર વિસ્તારનો કોઈ જ વિકાસ થયો નથી . સરકાર ભાજપની બનવાની છે. જેથી જો રાધનપુરનો વિકાસ કરવો હોય તો વિપરીત પરિસ્થિતિમાં જવાને બદલે ભાજપને જ મત આપી જીતાડશો તો બે જ વર્ષમાં રાધનપુરનો વિકાસ કરવાની ખાતરી આપી હતી.

અલ્પેશ ઠાકોરનો વિરોધ કરનારા પૂર્વ ધારાસભ્યો અને લવિંગજી ઠાકોર નાગરજી ઠાકોર સહિતના આગેવાનો એક મંચ ઉપર જોવા મળ્યા હતા.

મને ક્યાં લડાવવો તે પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશેટિકિટ મામલે પૂછતા અલ્પેશ ઠાકોરે પત્રકારોને જણાવ્યું હતું કે, હું ક્યાંથી લડીશ તે પાર્લામેન્ટ્રી બોર્ડ (Radhpur Municipality) નક્કી કરશે પણ રાધનપુરના વિકાસ માટે વ્યક્તિ નહીં પણ કમળનું નિશાન લઈ આવનારને સહયોગ આપી જીતાડવા અનુરોધ કર્યો હતો. વધુમાં જણાવ્યું હતું કે, રાધપુર નગરપાલિકાને કોંગ્રેસે ભ્રષ્ટાચારનો અડ્ડો બનાવી દીધો છે. રાધનપુર બેઠક પર કમળને જીતાડો બે જ વર્ષમાં રાધનપુરનો વિકાસ કરી કાયાપલટ કરીશું. આ સાથે એમ પણ ઉમેર્યું હતું કે, મને ક્યાં લડાવવો તે પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરશે.

કાર્ડ એ કોઈ સેવા ન હતી, ફક્ત પબ્લિસિટી સ્ટંટઅલ્પેશ ઠાકોરના રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય (Radhanpur Congress MLA) રઘુ દેસાઈ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે , તેમના દ્વારા હોસ્પિટલમાં વેચવામાં આવેલા કાર્ડ એ કોઈ સેવા ન હતી, ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે. જેથી મેં એનો વિરોધ કર્યો હતો. જો તેઓ હોસ્પિટલ શરૂ કરીને એક પણ દર્દીની સારવાર કરશે તો તે સારી બાબત છે જેનો મને કોઈ વિરોધ નથી પણ મત મેળવવા માટે લોકોને રીતે લોભવવા એ યોગ્ય નથી.

ABOUT THE AUTHOR

...view details