ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં જાણીતા બિલ્ડર ગોરધાનભાઈએ ધનતેરસના દિવસે કરી દરિદ્રનારાયણની સેવા - Gordhanbhai

પાટણમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર રહેતા જાણીતા બિલ્ડર બેબા શેઠ દ્વારા છેલ્લા 11 વર્ષથી સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો અને દરિદ્રનારાયણની સેવા કરી સાચા અર્થમાં ધનતેરસની ઉજવણી કરે છે. ચાલુ વર્ષે કોરોનાની મહામારીમાં પણ આ સેવાયજ્ઞ અવિરત ચાલુ રાખ્યો હતો અને દરિદ્રનારાયણની સેવા કરી હતી.

પાટણમાં ગોરધાનભાઈ છેલ્લા 11 વર્ષથી કરે છે દરિદ્રનારાયણની સેવા
પાટણમાં ગોરધાનભાઈ છેલ્લા 11 વર્ષથી કરે છે દરિદ્રનારાયણની સેવા

By

Published : Nov 14, 2020, 10:39 PM IST

  • પાટણના જાણીતા સેવાભાવી ગોરધનભાઈ 11 વર્ષથી કરી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિ
  • શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભિક્ષુકો અને ગાંડા ઘેલાને એક સ્થળે એકત્ર કરવામાં આવે છે
  • કોરોના મહામારી વચ્ચે પણ ભિક્ષુકોને આપી હૂંફ

પાટણઃ પ્રકાશના પર્વ દિવાળીની લોકો હર્ષોલ્લાસભેર ઉજવણી કરે છે, પણ સમાજથી તરછોડાયેલા ભિક્ષુકો ગાંડા ઘેલા, દરીદ્ર નારાયણો માટે દરેક તહેવાર એક જેવા જ હોય છે. પાટણમાં છેલ્લા 11 વર્ષથી બેબા શેઠના નામે જાણીતા ગોરધનભાઈ ઠક્કર દ્વારા સમાજથી તરછોડાયેલા અને ઉપર આભ અને નીચે ધરતીના સહારે જિંદગીના દિવસો પસાર કરતા ભિક્ષુકો માટે માટે એક સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે પણ નગરપાલિકા સંચાલિત આશ્રય ગૃહમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરતા અને ફુટપાટને જ પોતાનું ઘર બનાવી રહેતા લોકોને એકઠા કર્યા હતા અને તેઓને દેવા શેઠે પોતાની જાતે આવા ભિક્ષુકોના વાળ, નખ કાપી, નવડાવી ધોવડાવી નવા કપડા પહેરાવ્યા હતા અને ત્યારબાદ ભરપેટ ભોજન કરાવ્યું હતું. સેવા યજ્ઞની આ પ્રેરણા 11 વર્ષ અગાઉ રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને પાટણના પૂર્વ ધારાસભ્ય આનંદીબેન પટેલની પુત્રી અનાર દ્વારા મળી હોવાનું તેઓએ જણાવ્યું કે, કોરોના સંક્રમણને ધ્યાને લઇ 12મા વર્ષે પણ આ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો, જેમાં સેનેટાઈઝર અને હેન્ડ ગ્લોઝનો ઉપયોગ કરી દરિદ્રનારાયણની સેવા કરી હતી.

પાટણમાં ગોરધાનભાઈ છેલ્લા 11 વર્ષથી કરે છે દરિદ્રનારાયણની સેવા

ગોરધનભાઈના આ સેવાયજ્ઞમાં તેમના મિત્રો પણ સહભાગી બન્યા

આ સેવા યજ્ઞની પ્રેરણા અગિયાર વર્ષ પહેલા ગુજરાતના મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલની દીકરી અનારબેન દ્વારા મળી ત્યારથી આ સેવા યજ્ઞની શરૂઆત કરી છે. તેમની આ સેવા પ્રવૃત્તિમાં તેમના મિત્રો પણ સહભાગી બન્યા છે. દરિદ્રનારાયણમાં જ લક્ષ્મી નારાયણ વસેલા છે તે કહેવત ને ગોરધનભાઇ ઠકકરે સાર્થક કરી છે.

પાટણમાં ગોરધાનભાઈ છેલ્લા 11 વર્ષથી કરે છે દરિદ્રનારાયણની સેવા

ABOUT THE AUTHOR

...view details