ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના સંખારી ગામે ખેતરમાં આગ, ઘઉંનો પાક બળીને ખાખ - સંખારી ગામે ખેતરમાં આગ લાગતા

પાટણ તાલુકાના સંખારી ગામે બપોરના સુમારે ઘઉંના ખેતરમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. આ મામલે પાટણ નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ફાયર ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જો કે, આગમાં ચાર વીઘાના ખેતરમાં વાવેતર કરેલ ઘઉં બળીને ખાખ થતા ખેડૂતને ભારે નુકસાન થવા પામ્યું છે.

સંખારી ગામે ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાખ
સંખારી ગામે ખેતરમાં આગ લાગતા ઘઉં બળીને ખાખ

By

Published : Apr 3, 2020, 7:05 PM IST

પાટણ: જિલ્લાના સંખારી ગામે બપોરના સુમારે ઘઉંના ખેતરમાં એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. આ મામલે પાટણ નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ફાયર ટીમ તાકીદે ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં ચાર વીઘાના ખેતરમાં વાવેતર કરેલા ઘઉં બળીને ખાખ થતા ખેડૂતને ભારે નુકસાન થયું હતું.

પાટણ તાલુકાના શંખારી ગામે રહેતા પટેલ રામજીભાઈ શીવાભાઈએ પોતાના ચાર વીઘાના ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને ઘઉં તૈયાર પણ થયા હતા. ત્યારે શુક્રવારના રોજ બપોરના સુમારે કોઈ અગમ્ય કારણોસર ઘઉંના ખેતરમાં એકાએક આગ લાગી હતી.

આ આગે ટૂંક સમયમાં જ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટના બનતા આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને આગ ઓલવવાના પ્રયત્નો કર્યા હતા.આ બાબતે નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ફાયર ટીમના માણસો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબૂમાં મેળવ્યો હતો.

હાલમાં કોરોનાના લીધે લોકડાઉન છે, ત્યારે ખેડૂતના કોળિયો છીનવાઈ જતા ખેડૂત પર પડતા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

ABOUT THE AUTHOR

...view details