ગુજરાત

gujarat

જૈન સમાજે  પર્યુષણમાં કતલખાના બંધ રાખવા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

By

Published : Aug 27, 2019, 6:53 AM IST

પાટણ: જૈનોના મહાપર્વ એવા પર્યુષણમાં પાટણમાં ચાલતા કતલખાના અને નોન વેજની લારીઓ, હોટલો બંધ રહે તે માટે જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી.

જૈન સમાજે કતલખાના પર્યુષણમાં બંધ રાખવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

પ્રાણી માત્ર પ્રત્યે જીવદયા રાખનાર પર્વાધિરાજ મહાપર્વ એવા પર્યુષણનો પ્રારંભ થયો છે. જૈનોની તપોભૂમિ ગણાતા પાટણના વિવિધ જિનાલયો અને અપાશ્રયોમાં આઠ દીવસ સુધી જૈન મુનિ ભગવંતો અને શ્રાવકો 24 તીર્થંકરની તપસ્યા કરશે. તેમજ જૈન મુનિઓ જ્ઞાન આપશે. આ મહાપર્વમાં પાટણમાં ચાલતા કતલખાનાંઓ અને લારીઓ બંધ રહે તે માટે જૈન સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર આનંદ પટેલને આવેદનપત્ર આપી પાટણમાં એક અઠવાડિયા સુધી તમામ કતલખાના બંધ રહે તેવી રજુઆત કરી હતી. પર્યુષણ દરમિયાન પાટણના વિવિધ જિનાલયોમાં જૈન મુનિઓ અને શ્રાવકોં ભગવાન મહાવીર સ્વામીની તપસ્યા કરશે તેમજ મુનિ ભગવંતો જ્ઞાન આપશે.

જૈન સમાજે કતલખાના પર્યુષણમાં બંધ રાખવા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

ABOUT THE AUTHOR

...view details