- શિવરાત્રીએ વર્ષો બાદ રચાયો અદભુત સંયોગ
- શિવ યોગ, સિદ્ધિયોગ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ
- મંદિરોમાં દર્શન માટે જોવા મળ્યો ભારે ધસારો
- શિવ મંદિરો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા
પાટણઃ ભગવાન શિવજીને પ્રસન્ન કરવા માટે સૌથી સારો દિવસ હોય તો એ મહાશિવરાત્રી છે. આ દિવસે ભોલેનાથના ઉપાસકો તેમની વિશેષ પૂજા-અર્ચના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. ત્યારે આ વર્ષે શિવ પર્વ ખૂબ જ ખાસ છે. મહાશિવરાત્રિએ 101 વર્ષ પછી વિશેષ સંજોગ રચાયો છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મહાશિવરાત્રિએ શિવયોગ, સિદ્ધિ યોગ અને ધનિષ્ઠા નક્ષત્રનો સંયોગ રચાતા આ તહેવારનું મહત્વ વધી ગયું છે. શિવરાત્રીના દિવસે પાટણના અતિપ્રાચીન એવા સિધ્ધનાથ મહાદેવ, છત્રપતિ શ્વર મહાદેવ બગેશ્વર મહાદેવ સહિત અન્ય શિવાલયોમાં સવારથી જ શિવપૂજા માટે મોટી સંખ્યામાં લોકોનો ઘસારો જોવા મળ્યો હતો અને ઉપાસકોએ શિવ લિંગ પર અભિષેક બિલિપત્ર ચઢાવી પૂજા કરી ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચોઃ મહાશિવરાત્રીના પાવન પર્વે સોમનાથમાં વહેલી સવારથી જ ભક્તજનોનું ઘોડાપૂર
છત્રપતેશ્વર મહાદેવ પરિસરમાં ભક્તોએ કર્યા દર્શન