ગુજરાત

gujarat

By

Published : Aug 5, 2019, 7:51 AM IST

ETV Bharat / state

ભારત વિકાસ પરિષદ દ્વારા"ભારત કો જાનો" ની પરીક્ષા યોજાઈ

પાટણ: આજના વિદ્યાર્થીઓમાં ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ, ધાર્મિકતા કાયમ બની રહે તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા રવિવારે "ભારત કો જાનો" પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પ્રાથમિક અને માધ્યમિકના 1800 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

પાટણ

શિક્ષણ જગતમાં વિદ્યાર્થીઓ ભણતરની સાથે સાથે ભારતની સંસ્કૃતિ, ઐતિહાસિક વારસો અને ધાર્મિકતા ભૂલી રહ્યા છે. ભારત વિકાસ પરિષદે સંસ્કારોના સિંચનની સાથે રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરે છે. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે માટે ભારત વિકાસ પરિષદ દ્વારા "ભારત કો જાનો" અંતર્ગત લેખિત પરીક્ષા એમ.એન.હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી.

ભારત વિકાસ પરિષદ દ્વારા"ભારત કો જાનો" ની પરીક્ષા યોજવાઇ

આ પરીક્ષામાં શહેરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના 1800 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ભારતનો પ્રાચીન ઇતિહાસ, સાંકૃતિક વારસો,પ્રસિદ્ધ યાત્રાધામો,ઐતિહાસિક સ્મારકો અંગેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details