પાટણ : કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન અમલી કર્યુ છે. જેને કારણે અન્ય રાજ્યોમાથી મજૂરી અર્થે આવેલા શ્રમિકો લોકડાઉનને કારણે જે તે નગર અને શહેરોમાં જ રોકાઈ ગયા છે. ત્યારે લોકડાઉન 3 માં કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા અન્ય રાજ્ય કે જિલ્લામાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને માદરે વતન મોકલવાની મંજૂરી આપી છે. જેને કારણે ગુજરાત રાજ્યમાંથી તબક્કાવાર પરપ્રાંતિયોને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યાં છે.
પાટણમાં પરપ્રાંતિયોને વતન જવા ન મળતા રોષ - પાટણ વહીવટી તંત્ર
પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં મજૂરી કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના આશરે 6 હજાર જેટલા લોકોને વતન મોકલવા માટે પાટણ વહીવટી તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ન કરતા આ પરપ્રાંતિય શ્રમિકો જિલ્લા કલેકટર કચેરીમા આવેલ ડિઝાસ્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા. તેમજ પરપ્રાંતિય પરિવારોને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી.
![પાટણમાં પરપ્રાંતિયોને વતન જવા ન મળતા રોષ workers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7210327-thumbnail-3x2-gdf.jpg)
બીજી તરફ પાટણ જિલ્લામાંથી કેટલાક શ્રમિકોને ગુજરાત બહાર તેમના વતનમાં મોકલવામા આવ્યા છે, પણ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં રહી મજૂરી કરતા ઉત્તર પ્રદેશ અને બિહારના આશરે 6 હજાર શ્રમિકોએ વતન જવા માટેના ફોર્મ ભર્યાને 15 દિવસનો સમય થયો હોવા છતાં હજુ સુધી પાટણ વહીવટી તંત્ર દ્વારા તેઓને વતન મોકલાવની વ્યવસ્થા ન કરતા આ શ્રમિક પરિવારના આગેવાનો જિલ્લા કલેકટર કચેરીમાં આવેલી ડીઝાસ્ટર કચેરીમાં આવી પહોંચ્યા હતા. તેમજ તેઓને વતન મોકલવામાં આવે તેવી માંગ પાટણ વહીવટી તંત્ર પાસે કરી હતી.
ડીઝાસ્ટર કચેરી ખાતે આવેલા શ્રમિકોએ જણાવ્યું હતું કે, અમે જે જગ્યાએ કામ કરતા હતા તે કામ હાલમાં બંધ હોવાથી અમારે જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બન્યુ છે. આ માટે ઝડપીમાં ઝડપી વતન મોકલવામાં આવે તે જરૂરી છે.