- કોરોના મહામારીમાં આયુર્વેદ તરફ વળ્યા લોકો
- આયુર્વેદથી પાટણના યુવાનોએ હરાવ્યો કોરોનાને
- કોરોનાને કારણે ગભરાવવાની જરૂર નથી
પાટણ: જિલ્લામાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે અને અનેક દર્દીઓ આ બિમારીની લપેટમાં આવી રહ્યા છે. દર્દીઓ સારવાર માટે એલોપેથિક દવાઓની સાથે સાથે આયુર્વેદિક દવાઓ પણ ઉપયોગ કરી રહ્યા છે. પાટણના એક કોરોનાગ્રસ્ત યુવાને આયુર્વેદિક દવા ના ઉપચાર દ્વારા જ કોરોનાને મહાત આપી સ્વસ્થ બન્યો છે.
કોરોના લક્ષણ
પાટણના છીડિયા દરવાજા પાસે આવેલ બલાપીર પાસે રહેતા અને પાટણ તાલુકા પંચાયતમાં કરાર આધારીત એન્જિનિયર તરીકે ફરજ બજાવતા મયુર પટેલ નામના યુવાનને ગત તારીખ 22 એપ્રિલના રોજ શરદી અને તાવના લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા તેને ઘરે રહી દવા લેવાની સલાહ આપવામાં આવી હતી.
આયુર્વેદિક સારવાર
આયુર્વેદ માટે અત્યંત વિશ્વાસ હોવાને કારણે આ યુવાને આયુર્વેદિક સારવાર લેવાનું નક્કી કર્યું અને પાટણની સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોના ટેલિફોનથી સંપર્ક કર્યો. આયુષ તબીબે સામાન્ય કોરોનાના લક્ષણ હોવાથી ગભરાવવાની કોઈ આવશ્યકતા નથી તેમ જણાવી આયુર્વેદ પ્રમાણે કોરોનાની સારવાર દરમિયાન શું ખાવું શું ન ખાવું તેમ જ દિવસ દરમિયાન શું કરવું તેનું સચોટ માર્ગદર્શન આપી જરૂરી ઔષધીઓ આપી હતી અને આ ઔષધિઓનું સેવન ચાલુ રાખ્યું અને પરિણામે બે જ દિવસમાં કોરોના લક્ષણો દૂર થઈ ગયા.