- કોરોના મહામારીને લઈને સરકારે લીધો નિર્ણય
- યુનિવર્સિટી સ્નાતક કક્ષામાં સેમ 2 અને 4ના વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન આપશે
- સ્નાતકમાં અંતિમ સેમિસ્ટર અને અનુસ્નાતકના તમામ સેમિસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે
પાટણઃ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં વર્ષ 2020માં કોરોના મહામારીને લઇ સેમિસ્ટર 2,3 અને 4ના વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગેશન આપી પાસ કરવામાં આવ્યા હતા. ત્યારે વર્ષ 2021માં પણ કોરોનાની બીજી લહેરમાં ઓફલાઈન પરીક્ષામાં વિધાર્થીઓના જીવ જોખમમાં મુકાય નહિ તે માટે મેરીટ બેઝ પ્રોગ્રેશન મુજબ પાસ કરવામાં આવશે.
આ પણ વાંચોઃધોરણ 12ના વિદ્યાર્થીને માસ પ્રમોશન નહીંઃ CM
પરીક્ષા વગર એમ.બી.પી પ્રમાણે પાસ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે
સુરક્ષા અને ભવિષ્યને ધ્યાને લઇ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષ સિવાયના સેમિસ્ટર 2,4 અને 6ના વિદ્યાર્થીઓને પરીક્ષા વગર એમ.બી.પી પ્રમાણે પાસ કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસંધાને હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીમાં પણ સ્નાતક કક્ષામાં સેમિસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓને પરીક્ષા લીધા વગર મેરીટ બેઝ પ્રોગ્રેશન આપવામાં આવશે.