ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ કલેક્ટરની અધ્યક્ષતામાં HIV અવેરનેશ કાર્યક્રમ યોજાયો

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને GSRTCના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

By

Published : Feb 20, 2021, 8:23 PM IST

પંચમહાલ
પંચમહાલ

  • અમિત અરોરાની અધ્યક્ષતામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન
  • HIV સંક્રમણ થવાના કારણો અને અંગેની સાચી માહિતી
  • કાર્યક્રમમા કર્મચારીઓ-અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

પંચમહાલઃ જિલ્લામાં ગોધરા ખાતે સ્ટેટ એઈડ્સ કંટ્રોલ સોસાયટી અને GSRTCના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર અમિત અરોરાની અધ્યક્ષતામાં અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોધરાની ST વર્ક શોપ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિતજનોને સંબોધતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, HIV સંક્રમણ થવાના કારણો અને બચાવ માટે રાખવાની થતી સાવધાનીઓ અંગેની સાચી માહિતી જનસામાન્ય સુધી પહોંચે તે હેતુંથી HIVના ફેલાવાને રોકવાની દિશામાં સૌથી વધુ અસરકારક રહેશે.

એઈડ્સની ઉત્તમ સારવાર ઉપલબ્ધ

એઈડ્સની ઉત્તમ સારવાર ઉપલબ્ધ થઈ છે, ત્યારે પીડિત વ્યક્તિઓને લાગણીભરી મદદ અને હૂંફ તેમના પુનઃસ્થાપનમાં તેમજ બાકીનું જીવન સારી રીતે વ્યતીત કરવામાં અતિ ઉપયોગી સાબિત થઈ શકે છે. HIV અને એઈડ્સ વિશે હજી પણ સમાજમાં મોટા પાયે ગેરસમજણ પ્રવર્તે છે, ત્યારે આ પ્રકારના જાગરૂકતા કાર્યક્રમો સાચી માહિતી પ્રસરાવવા ઉપયોગી બની શકે તેમ જણાવતા તેમણે ST વિભાગને આ પ્રકારના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પંચમહાલ

HIVના ઘાતક સંક્રમણથી બચવાના ઉપાયો

HIVના ઘાતક સંક્રમણથી સુરક્ષિત રહેવાના પગલાઓનું ચુસ્ત પાલન જ એકમાત્ર ઉપાય છે અને તેથી આ પ્રકારના જાગરૂકતા કાર્યક્રમો મોટાપાયે નિરંતર રીતે થાય તે સમયની જરૂરિયાત છે. સ્ટેટ એઈડ્સ કન્ટ્રોલ સોસાયટીના એડિશનલ ડાયરેક્ટર ડૉ. રાજેશ ગોપાલે જણાવ્યું હતું કે, સંપૂર્ણ અને સાચી જાણકારી સંક્રમણને રોકવા માટેની સામાજિક વેક્સિન છે. આ સંક્રમણ કઈ રીતે ફેલાય છે અને આ તમામ જોખમો સામે કઈ સાવચેતીઓ વ્યક્તિને સંક્રમણથી સુરક્ષિત રાખી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપતા ડૉ.ગોપાલે આ માહિતી આગળ પ્રસરે તે દિશામાં સામૂહિક પ્રયાસો કરવા આગ્રહ કર્યો હતો.

અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

કાર્યક્રમમાં HIV સંક્રમણ, એઈડ્સ, બચાવના પગલા, સારવાર, ઉપસ્થિત સહાયના માધ્યમો સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી આપતું પ્રેઝન્ટેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં એસટીના વિભાગીય નિયામક શાબ્દિક સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં સીડીએચઓ ડૉ. મિનાક્ષી ચૌહાણ, આરસીએચઓ ડૉ. પી.કે શ્રીવાસ્તવ તેમજ STના કર્મચારીઓ-અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details