આપણે રોજબરોજ સરકારની બેદરકારીના કિસ્સાઓ સાંભળીએ છીએ અને સરકારને ગાળો પણ ભાંડીએ છીએ. જેના વ્યાજબી કારણો પણ છે. દરેક વસ્તુના બે પાસા હોય છે. તેમ સરકારના પણ બધા કાર્યો કંઈ વખોડવા લાયક નથી હોતા. સરકાર સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક નવી યોજના બહાર પાડે છે. જેનાથી લોકોને ઘણી સહાય મળે છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ પંચમહાલના હાલોલ ગામમાં જોવા મળ્યું છે.
પંચમહાલના હાલોલમાં આવેલાં અમરાપૂરી ગામમાં દિવ્યાંગ પારૂલબેન બારીયા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ચાલી અને બોલી શકતાં નથી. તે પોતાના પરિવારના કથડતી આર્થિક સ્થિતિને ટેકો આપવા માગતાં હતા. પરંતુ દિવ્યાંગતાના કારણે તેમને લોકો રોજગાર આપવાને બદલે દયા બતાવતા હતા. તે જોઈને તેમને નિરાશા મળતી હતી.
આ સમય દરમિયાન પારૂલબેનને કોઈએ સરકારી દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની માહિતી મળી. ચેઓ ગોધરા સમાજસુરક્ષની કચેરીએ ગયા.જરૂરી દસ્તાવેજ આપ્યાં. જેના આધારે તેમને 50,000 રૂપિયાની રોકડ સહાય મંજૂર કરાઈ, અને તાત્કાલિન કલેકટરના હસ્તે ચેક અપાયો.