ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી

પંચમહાલઃ પંચમહાલમાં હિન્દુ સમાજની દિકરીએ પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. સમાજના રિવાજ પ્રમાણે દીકરો જ પિતાને અગ્નિદાહ આપતો હોય છે. પરંતુ પરિવારમાં દિકરો ન હોવાથી દિકરીએ પિતાને મુખાગ્નિ આપી દીકરીની ફરજ નિભાવી હતી.

By

Published : Jun 22, 2019, 5:09 PM IST

પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી

પંચમહાલમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઇ મગનલાલ પંચાલનું હ્દય રોગના હુમલા કારણે મોત નીપજ્યું હતુ. જેમને પુત્રી વૈશાલીએ સમાજિક વાડામાંથી બહાર નીકળી અગ્નિદાહ આપ્યો છે. સમાજ એવી રૂઢ માન્યતા છે કે,પિતાનો અંતિમ સંસ્કાર ફક્ત દીકારાના હાથે કરવામાં આવે છે. તો દીકરીને સ્મશાનમાં જવાની પણ પરવાનગી હોતી નથી. પણ હવે સમય બદલાયો છે. લોકો સમાજિક બંધનોને ઓળંગીને પરિવર્તન સ્વીકારવા લાગ્યા છે. જેનું આ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી
મૃતક અશ્વિનભાઇ પંચાલને દીકરો ન હોવાને કારણે તેમનો અગ્નિસંસ્કાર કોણ કરશે ? તેવો પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે પુત્રી વૈશાલીએ પરિજનોને પિતાને મુખાગ્નિ આપવાની ઇચ્છા જણાવી હતી અને પરિવારે વૈશાલીની ઇચ્છાને માન આપી તેના હાથે અગ્નિદાહ અપાવ્યો હતો.આમ, સમાજ રૂઢ માન્યાતાઓથી આગળ વધીને લાગણીને સ્થાન આપવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details