ગુજરાત

gujarat

ETV Bharat / state

બાવન શક્તિપીઠમાંનું એક પાવાગઢ મંદિર નવરાત્રિ દરમિયાન રહેશે બંધ - પાવાગઢના તાજા સમાચાર

સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. જ્યારબાદ તબક્કા પ્રમાણે દેશને અનલોક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં રાજ્યના ધાર્મિક સ્થળોને અનલોક કરી દેવામાં આવ્યાં છે. આમ છતાં પાવાગઢ ટેમ્પલ કમિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન મંદિર બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.

ETV BHARAT
પાવાગઢ મંદિર આગામી નવરાત્રી દરમિયાન રહેશે બંધ

By

Published : Oct 13, 2020, 3:42 PM IST

પંચમહાલઃ જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે પાવાગઢ ટેમ્પલ કમિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે નવરાત્રિ દરમિયાન પાવાગઢ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે. જેથી ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખી મંદિર કમિટીએ નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેથી 16 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી પાવાગઢ મંદિર બંધ રહેશે. ત્યારબાદ રાબેતા મુજબ મંદિરને ખોલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, અનલોકમાં તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની સરકારે પરવાનગી આપી હતી. જેમાં ઘણાં મંદિરોના ટ્રસ્ટે મંદિર ભક્તો માટે ખોલ્યા હતાં, તો ઘણાં ટ્રસ્ટીઓએ કોરોના સંક્રમણને કારણે મંદિર બંધ રાખ્યાં હતાં. વિરપુરના જલારામ મંદિરને અનલોકના તબક્કામાં ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ કોરોના સંક્રમણ વધતાં ફરી બંધ કરવામાં આવ્યું હતું. જે ફરી ખુલ્લુ મૂકી દેવામાં આવ્યું છે. આમ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને વિવિધ મંદિરના ટ્ર્સ્ટ મંદિર ખોલવાનું અને બંધ કરવાનું નક્કી કરતા હોય છે. જે અંતર્ગત પાવાગઢ મંદિરની કમિટીએ નવરાત્રિ દરમિયાન મંદિર બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

પાવાગઢ મંદિરના અન્ય સમાચાર

ચૈત્રી નવરાત્રીને લઈને તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટે એડવાઈઝરી જાહેર કરી

સમગ્ર રાજ્યમાં આવેલા પ્રસિદ્ધ ધાર્મિક સ્થાનોને કોરના વાઈરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢને પણ હવે બંધ રાખવાનો નિર્ણય મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. જેની મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ડિસ્કવર ઇન્ડિયા: જાણો પવિત્ર યાત્રાધામ પાવાગઢ વિશે, મહાકાળી શક્તિપીઠ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રમણિય પર્વત પાવાગઢ ઉપર માઁ મહાકાળી બિરાજે છે. જે ભારતની 52 શક્તિપીઠમાની એક એવી પાવાગઢ શક્તિપીઠ તરીકે લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રી પર્વમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

ABOUT THE AUTHOR

...view details