ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલમાં કોરોનાનો કહેર યથાવત, વધુ 7 કેસ પોઝિટિવ - પંચમહાલમાં કોરોના કેસ

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19ના નવા સાત કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 172 પર પહોંચી ગઇ છે. જ્યારે 14 વ્યક્તિઓનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે.

By

Published : Jun 24, 2020, 7:21 PM IST

પંચમહાલ: જિલ્લામાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે જિલ્લામાં 7 નવા પોઝિટિવ કેસ સાથે કોરોના પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 172 પર પહોંચી ગઇ છે. 114 દર્દીઓને સારવાર બાદ સાજા થતા રજા પણ આપી દેવાઈ છે જ્યારે 14 વ્યક્તિઓનું સારવાર દરમિયાન મૃત્યું થયું છે.

જો કે હાલ જિલ્લામાં કોરોનાના 44 કેસો હજી સક્રિય છે, જેમની સારવાર ચાલી રહી છે. આજના કેસની વિગતોમાં હાલોલ તાલુકામાં ૪ વ્યક્તિઓ કોવિડ-19 સંક્રમિત મળી આવ્યા છે. જેમાં હાલોલના રણછોડનગર વિસ્તારમાં રિદ્ધિ એપાર્ટમેન્ટના 45 વર્ષીય મહિલા અને 18 વર્ષીય યુવતી, સીએચસી સ્ટાફ ક્વાર્ટરના 45 વર્ષીય પુરુષ તેમ જ અંકિતાપાર્કના 43 વર્ષીય પુરુષનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે.

ગોધરામાં મળી આવેલા 2 કેસો પૈકી શહેરની પોલીસલાઈનમાં રહેતા 45 વર્ષીય મહિલા અને શહેરાભાગોળ ડબગરવાસમાં રહેતા 54 વર્ષીય મહિલા સંક્રમિત મળી આવ્યા છે. કાલોલના પટેલ ફળિયાના 40 વર્ષીય પુરુષ પણ કોરોના સંક્રમિત મળી આવ્યા છે.

જિલ્લામાં કુલ 12,486 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 10,985 વ્યક્તિઓએ કવોરેન્ટાઈનનો સમયગાળો પૂર્ણ કરી દીધો છે જ્યારે 1501 વ્યક્તિઓનો ક્વોરેન્ટાઈનનો સમયગાળો હજી બાકી છે.

જિલ્લામાંથી અત્યાર સુધી કુલ 5021 સેમ્પલ પરીક્ષણ અર્થે લેવામાં આવ્યા છે, જે પૈકી 4742 સેમ્પલ નેગેટીવ આવ્યા છે જ્યારે 172 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે. 101ના રીપોર્ટ પેન્ડિંગ છે.

જિલ્લાના કુલ 89 વિસ્તારો કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવવાના પગલે કોરોના પ્રભાવિત વિસ્તારો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details