ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોધરા ખાતે 'નેશનલ સ્ટેટીસ્ટીક ડે' ની ઉજવણી કરાઇ - gujaratinews

પંચમહાલઃ નેશનલ સ્ટેટીસ્ટીક ડે નિમિત્તે જિલ્લા સેવા સદન, ગોધરા-પંચમહાલ ખાતે અધિક નિવાસીના અધ્યક્ષપદે ઉજવણીનું આયોજન કરાયું હતું. પી.સી. મહાલ નોબિસ કે જેઓ ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે તેમનો જન્મદિવસ 29મી જૂન રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવાય છે તેમનો આર્થિક આયોજન અને ભારતીય આંકડાશાસ્ત્રના વિકાસમાં ખુબ જ મોટુ પ્રદાન છે.

godhra

By

Published : Jun 30, 2019, 4:12 AM IST

નેશનલ સ્ટેટીસ્ટીક ડે નિમિત્તે જિલ્લા સેવા સદન,ગોધરા-પંચમહાલ ખાતે અધિક નિવાસી કલેક્ટર મહેન્દ્ર એલ. નલવાયાના અધ્યક્ષપદે એક ઉજવણીનું આયોજન થયું હતું. આ ઉજવણી સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયોની થીમ પર કરવામાં આવી હતી.
અધિક નિવાસી કલેક્ટરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારના આયોજનમાં ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણનું ઘણું મહત્વ છે અને તેથી જ દેશના વિકાસનો રોડમેપ તૈયાર કરવામાં પ્લાનિંગ અને સ્ટેટીસ્ટીક ડિપાર્ટમેન્ટની ભૂમિકા ઘણી મહત્વની છે.
જિલ્લા આયોજન અધિકારી આર.આર. ભાભોરે આ પ્રસંગે આયોજન અને આંકડાશાસ્ત્રના મહત્વ, સાતત્યપૂર્ણ વિકાસના ધ્યેયો, મિલેનિયલ ડેવલપમેન્ટના 8 ધ્યેયો, સાતત્યપૂર્ણ વિકાસના 17 ધ્યેયો વગેરે બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી.
જિલ્લા આંકડા અધિકારીએ ઉપસ્થિત અધિકારીઓને પી.સી. મહાલનોબિસના પ્રદાન, જીવનમાં અને વહીવટીતંત્રની કામગીરીને આંકડાશાસ્ત્ર કઈ રીતે સ્પર્શે, નીતિ નિર્માણમાં આંકડાશાસ્ત્રનું મહત્વ, આંકડા વિભાગની કામગીરી અને તેના પ્રકાશનો વગેરે બાબતોની માહિતી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પી.સી. મહાલ નોબિસ કે જેઓ ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે. તેમના આર્થિક આયોજન અને ભારતીય આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રદાનને બિરદાવવા તેમનો જન્મદિવસ 29મી જૂન રાષ્ટ્રીય આંકડા દિવસ તરીકે ઉજવાય છે.

ABOUT THE AUTHOR

...view details