ગુજરાત

gujarat

ETV Bharat / state

આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ કેસૂડાનું વેચાણ કરી ખેડૂતોએ મેળવી આવક - કેસૂડાના ફૂલોનું વેચાણ

પંચમહાલ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર-ઠેર કેસૂડાના ખરેલા ફૂલોથી ધરતી છવાયેલી છે. ત્યારે આ ફૂલોના વેચાણમાંથી વધારાની આવક ઉભી કરી રહી કાલોલ તાલુકાની મહિલાખેડૂત બહેનોએ એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે.

panchamahal
panchamahal

By

Published : Mar 8, 2020, 5:34 AM IST

પંચમહાલઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઠેર-ઠેર કેસૂડાના ખરેલા ફૂલોથી ધરતી છવાયેલી છે. ત્યારે આ ફૂલોના વેચાણમાંથી વધારાની આવક ઉભી કરી રહી કાલોલ તાલુકાની મહિલાખેડૂત બહેનોએ એક અનુકરણીય ઉદાહરણ પ્રસ્તુત કર્યુ છે. આત્મા પ્રોજેક્ટ કચેરી અને ખેતીવાડી વિભાગના સહયોગથી કાલોલના નેસડા ગામની મહિલાઓએ વેસ્ટ જતા ફૂલોને એકત્રિત કરી કાલોલ APMC માર્કેટ ખાતે સ્ટોલ લગાવી વેચાણ કર્યુ હતું.

આત્મા પ્રોજેક્ટ કચેરીના માર્ગદર્શન હેઠળ કેસૂડાના ફૂલોનું વેચાણ
જંગલમાં ખરી પડેલા આ ફૂલો થોડા દિવસમાં બગડી જાય છે. જ્યારે શહેરમાં અદભુત ઔષધીય ગુણો ધરાવતા આ ફૂલોની માગ રહે છે. ખાસ કરીને હોળીના તહેવારના ટાણે તેની સારી માગ રહે છે. આ પાસાઓને ધ્યાનમાં લઈ ખેડુતોએ આ ફૂલોને એકત્રિત કરી તેના વેચાણ મારફતે વધારાની આવક મેળવવાનું વિચાર્યું હતું.

આ વિસ્તારમાં કેસુડાના પ્રાકૃતિક રંગોથી વર્ષોથી ધૂળેટી ઉજવવામાં આવે છે. હાલમાં કેમિકલયુક્ત રંગોથી ધૂળેટી રમવાના કારણે ચામડીની સમસ્યાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે પણ લોકો કેસૂડાના ફૂલોથી અને તેમાંથી બનાવેલા પ્રાકૃતિક રંગોથી હોળી રમવાનું મહત્વ સમજે તે અગત્યનું છે.

ABOUT THE AUTHOR

...view details