ગુજરાત

gujarat

ETV Bharat / state

પંચમહાલ જિલ્લામાં આર્ટિકલ-15 ફિલ્મ સામે સમસ્ત બ્રહ્મસમાજનો વિરોધ

પંચમહાલઃ સમસ્ત બ્રહ્મસમાજ રાજ્ય કક્ષાના નેજા હેઠળ પંચમહાલ જિલ્લા બ્રહ્મસમાજ દ્વારા સોમવારે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આગામી સમયમાં રિલીઝ થનારી ફિલ્મ આર્ટિકલ-15 ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં રિલીઝ ન થાય તેવી માંગ કરવામાં આવી હતી.

By

Published : Jun 25, 2019, 9:00 AM IST

Panchmahal

આગામી 28 જૂને ફિલ્મ કલાકાર આયુષમાન ખુરાનાની આર્ટિકલ-15 ફિલ્મ રીલિઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં રિલીઝ ન થાય તેવી માંગણી સાથે સોમવારે પંચમહાલ બ્રાહ્મણ સમાજ દ્વારા જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

ફિલ્મ આર્ટિકલ-15 રીલિઝ ન કરવા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કલેક્ટરને આવેદન

આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું કે, આ ફિલ્મની સ્ટોરી સત્યથી વેગળી છે. ફિલ્મમાં બે દલિત બાળકીઓનો બળાત્કાર થાય છે અને બળાત્કારીને બ્રાહ્મણ બતાવવામાં આવી રહ્યાં છે. જ્યારે 27 જૂન 2014માં ઘટેલી આ પ્રકારની ઘટનામાં બળાત્કારીઓ અન્ય સમાજના હતા. તેઓને સજા પણ આપવામાં આવી હતી.

આમ હિન્દુ સમાજમાં વર્ગ વિગ્રહ ઊભો થાય એવા પ્રકારની ફિલ્મ હોવાથી પંચમહાલ જિલ્લાના એક પણ સિનેમાઘરમાં આ ફિલ્મ રીલિઝ ન થાય તેવી માંગણી આવેદનપત્ર પાઠવીને કલેકટર સમક્ષ કરવામાં આવી હતી. તેમજ કાશ્મીરી પંડિતોનું પુનર્વસન થાય એવી માંગણી કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details