ગુજરાત

gujarat

ETV Bharat / state

નવસારી વેપારી મંડળનો ઓડ-ઈવન નંબરોમાં દુકાનો ખોલવાનો વિરોધ, મોર્ચો લઈ પાલિકા પહોંચ્યા - corona in gujrat

કોરોના વાયરસ સામેની લડાઈમાં અર્થ તંત્રને પાટે ચડાવવા માટે રાજ્ય સરકારે ચોથા ચરણમાં છૂટછાટો આપી, પણ દુકાનો ખોલવા ઓડ-ઇવન સીસ્ટમ દાખલ કરતા નવસારી વેપારી મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં આજે મોદી સાંજે નવસારી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની આગેવાનીમાં શહેરના વેપારીઓએ પાલિકાએ મોર્ચો માંડ્યો હતો અને પાલિકા પ્રમુખ સામે ઓડ-ઇવન અનુસાર દુકાનો ખોલવાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે પાલિકા સીઓ મળી ન શકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જયારે આ મુદ્દે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે.

નવસારીમાં વેપારી મંડળનો ઓડ-ઇવન નંબરોમાં દુકાનો ખોલવાનો વિરોધ
નવસારીમાં વેપારી મંડળનો ઓડ-ઇવન નંબરોમાં દુકાનો ખોલવાનો વિરોધ

By

Published : May 20, 2020, 10:06 AM IST

નવસારી: કોરોના વાયરસ સામેની લડાઈમાં અર્થ તંત્રને પાટે ચડાવવા માટે રાજ્ય સરકારે ચોથા ચરણમાં છૂટછાટો આપી, પણ દુકાનો ખોલવા ઓડ-ઇવન સીસ્ટમ દાખલ કરતા નવસારી વેપારી મંડળમાં નારાજગી જોવા મળી રહી છે. જેમાં આજે મોદી સાંજે નવસારી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખની આગેવાનીમાં શહેરના વેપારીઓએ પાલિકાએ મોર્ચો માંડ્યો હતો અને પાલિકા પ્રમુખ સામે ઓડ-ઇવન અનુસાર દુકાનો ખોલવાનો સખત વિરોધ નોંધાવ્યો હતો. જોકે પાલિકા સીઓ મળી ન શકતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જયારે આ મુદ્દે ધારાસભ્યને પણ રજૂઆત કરવામાં આવી છે.

નવસારીમાં વેપારી મંડળનો ઓડ-ઇવન નંબરોમાં દુકાનો ખોલવાનો વિરોધ

કોરોનાની મહામારીથી રક્ષણ માટે ભારત સરકાર દ્વારા જાહેર લોકડાઉનને ચોથા ચરણમાં પણ આગળ વધારાયુ છે. જેમાં કેન્દ્રની ગાઈડ લાઈન અનુસાર ગુજરાત સરકારે રાજયની સ્થિતિ અનુસાર લોક ડાઉનના નિયમો સાથે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં બજારોમાં સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પણ એમાં પણ ઓડ ઇવન નંબર અનુસાર દુકાનો ખોલવાનો નિયમ વેપારીઓને અકળાવી રહ્યો છે.

અંદાજે પોણા બે મહિના સુધી દુકાનો બંધ રહ્યા બાદ જયારે ખોલવાની મંજૂરી મળી, ત્યારે ઓડ ઇવનને કારણે એક દિવસ બંધ અને એક દિવસ ખુલ્લી રાખવા પડે જેને લઈને વેપારીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

જેથી આજે મંગળવારે સાંજે નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દેવુ મહેતા સાથે વેપારી મંડળના પદાધિકારીઓ અને વેપારીઓ નવસારી નગર પાલિકાએ મોર્ચો લઇ પહોંચ્યા હતા. જ્યાં પાલિકા સીઓ કલેક્ટર કચેરીએ મીટીંગમાં ગયા હોવાથી વેપારીઓએ પાલિકા પ્રમુખ કાંતિ પટેલ સામે આક્રોશ ઠાલવ્યો હતો.

નવસારી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દેવું મહેતાએ જણાવ્યુ હતુ કે, સરકારે જે દુકાનો ખોલવા માટે ઓડ-ઇવન નબરની સીસ્ટમ જાહેર કરી છે એનો સખત વિરોધ કરીએ છીએ. પ્રોપર્ટી કાર્ડના નંબર પ્રમાણે જોઈએ તો આજુબાજુની દુકાનો ઓડ અથવા ઇવન પ્રમાણે હોવાથી એક સાથે બંને દુકાનો બંધ રહેશે. જયારે ઓડ-ઇવન નંબરની બે દુકાનો એક જ વેપારીની હોવાથી તો એ સમગ્ર અઠવાડીયા દરમિયાન દુકાન ખોલી શકશે. જેથી સરકાર આ ઓડ-ઇવનની સીસ્ટમ કાઢી નાંખે એ વેપારીઓના હિત છે.

આ મુદ્દે પાલિકા સીઓ દશરથસિંહ ગોહિલ અને નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને ટેલીફોનીક વિરોધ દર્શાવી ઘટતુ કરવા રજૂઆત કરી હતી, પણ સરકારનો નિર્ણય હોવાનું જણાવી એમણે પોતાની અસમર્થતા દર્શાવી હતી.

ABOUT THE AUTHOR

...view details