ગુજરાત

gujarat

ETV Bharat / state

Suicide case Navsari: નવસારીની અંબિકા નદીમાં પિતાએ પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, કારણ અકબંધ - Ganadevi Police

નવસારીના ગણદેવી માર્ગ પર સોનવાડી નજીક અંબિકા નદીમાં નવાગામના યુવાને પોતાની 5 વર્ષીય પુત્રી સાથે મોતની છલાંગ (Leap Of death) લગાવતા ચકચાર હડકંપ મચી ગઇ છે. આ ઘટનાની જાણ ગણદેવી પોલીસને થતા સ્થાનિક તરવૈયાઓની મદદથી આજે શનિવારના બન્ને પિતા-પુત્રીના મૃતદેહ (Suicide case Navsari) શોધી કાઢ્યા હતા, ત્યારબાદ મૃતદેહને પોલીસે પીએમ અર્થે મોકલ્યાં હતાં. ગણદેવી પોલીસ (Ganadevi Police) આ મામલે તપાસ આરંભી છે.

Suicide case Navsari: નવસારીની અંબિકા નદીમાં પિતાએ પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, કારણ અકબંધ
Suicide case Navsari: નવસારીની અંબિકા નદીમાં પિતાએ પુત્રી સાથે લગાવી મોતની છલાંગ, કારણ અકબંધ

By

Published : Jan 15, 2022, 7:55 PM IST

નવસારી: નવાગામ ગામના કેયુર નરેશ પટેલ (29) ગત રોજ મકરસંક્રાંતિની બપોરના 2 વાગ્યએ પોતાની લાડલી વિહાના (5) સાથે ઘરેથી કોઈને પણ કહ્યા વિના પોતાની બાઇક પર નીકળી પડ્યો હતો. કેયુર ઘરેથી નીકળી નવસારી-ગણદેવી માર્ગ પર સોનવાડી ગામની અંબિકા નદીના કિનારે પહોંચ્યો હતો, જ્યાં કોઇક વાતે હતાશ કેયુરે પ્રથમ પોતાનું પર્સ અને મોબાઇલ ફોન પોતાની બાઇકની ડીકીમાં મુક્યા હતા, ત્યારબાદ દિકરી વિહાના અને પોતાના ચપ્પલ કિનારે ઉતારી, કેયુરે વિહાના સાથે નદીમાં ઝંપલાવી (Suicide case Navsari) દીધુ હતુ.

24 કલાક બાદ પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં

કેયુર ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ આરંભી હતી અને સાંજે સોનવાડી પુલ નીચે અંબિકાના કિનારે કેયુરની બાઇક જોતા આંચકો લાગ્યો હતો. સમગ્ર મુદ્દે ગણદેવી પોલીસને જાણ કરતા પોલીસ (Ganadevi Police) ઘટના સ્થળે પહોંચી હતી અને નવસારીના તરવૈયાની મદદથી નદીમાં પિતા-પુત્રીના મૃતદેહને શોધવાની કામગીરી આરંભી હતી. જેમાં 24 કલાકની જહેમત બાદ તરવૈયાઓને સફળતા મળી હતી.

મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડ્યા

આજે શનિવારની બપોરે કેયુર અને તેની પુત્રી વિહાનાના મૃતદેહને શોધી બન્નેના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી, ત્યારબાદ પોલીસ મથકના ચોપડે આપઘાતનો ગુનો નોંધી તપાસ આરંભી છે.

લોક ચર્ચા પ્રમાણે કોઇક વાતે ઘરમાં કંકાસ ચાલતો હતો

નવાગામના કેયુર પટેલ તેની દિકરી વિહાનાને ઘણો પ્રેમ કરતો હતો, પરંતુ લોક ચર્ચા પ્રમાણે કોઇક વાતે ઘરમાં કંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળી કેયુર પોતાનું જીવન ટુંકાવવાનો નિર્ણય લઇ ચુક્યો હતો, પરંતુ વહાલી દિકરીને એકલી મુકવા માંગતો ન હતો. જેથી પોતાની સાથે વિહાનાને પણ સાથે લઇ અને અંબિકા નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી.

ઉપસરપંચ ભરત આહિરે સુખી પરિવાર હોવાનું જણાવ્યું

નવાગામના ઉપસરપંચ ભરત આહિરે સુખી પરિવાર હોવાનું જણાવ્યું હતું. કેયુરને ફરવાનો શોખ હતો અને ઘણીવાર આ રીતે ફરવા નિકળી પડતો હતો. કાલે પણ દિકરીને સાથે લઇ નદીએ ફરવા ગયો હોવો જોઇએ, જ્યાં નદી કિનારે પગ લપસતા બન્ને પાણીમાં ગરકાવ થતા ડૂબી ગયા હોવાની આશંકા ભરત આહિરે સેવી હતી.

આ પણ વાંચો:

Incident of double murder in Porbandar:પોરબંદરમાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

Cannabis seized from Morbi: વાંકાનેર નજીકથી ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details