નવસારીઃનવસારીમાં આવેલા વિજલપોર ખાતે રહેતા મસાલાના વેપારી અને આમ આદમી પાર્ટીના કાર્યકર ગોપાલ મુકેશભાઈ જાગતાપને ઢોરમાર માર્યો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. પોતાના ત્રણ જૂના મિત્રોએ જૂની અંગત અદાવતમાં ફોન કરીને નવસારીના કાદરી વાડ વિસ્તાર પાસે મળવા માટે બોલાવ્યા હતા. એ પછી મામલો ગરમાયો હતો. જોકે, આ કેસમાં પોલીસે આરોપીઓને પકડીને આખા ગામમાં એનું સરઘસ કાઢ્યું હતું. જ્યારે આરોપીઓએ પણ જાહેરમાં ક્ષમા માગી હતી.
આ પણ વાંચોઃ Navsari News : પ્રેમીએ પ્રેમિકાના મૃત્યુ મામલે પરિવાર પર કર્યા આક્ષેપ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો
ગંભીર ઈજા થઈઃગોપાલભાઈ જ્યારે કાગદીવાડ વિસ્તાર માં મળવા માટે પહોંચ્યા ત્યારે આ ત્રણેય યુવકોએ એમના ઉપર તૂટી પડ્યા હતા. લોખંડના ડંડા વડે માર મારવાનો ચાલુ કરી દીધો હતો. લોખંડના ડંડાનો માર પગ પર વાગતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી. આ સમગ્ર મામલે એમના અન્ય મિત્રો ઘટના સ્થળે પહોંચી જઈ તાત્કાલિક તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. તેઓની સ્થિતિ ગંભીર થતા તેઓને ICCU માં એડમીટ કરાયા છે.
વિડીયો બનાવી વાયરલઃબીજી તરફ આ માથાભારે ત્રણ યુવાનોએ ગોપાલભાઈને માર મારતા હતા. એ સમયે કોઈ ઈસમે આ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો હતો. તે વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો. સોશિયલ મીડિયા એપ્લિકેશન ઈન્સ્ટાગ્રામના સ્ટેટસમાં આ વિડીયો પોસ્ટ કરાયો હતો. જેને એડિટ કરી રીલ રૂપે વહેતો કરવામાં આવ્યો હતો. પોતાની જાતને ભાઈ સમજતા હોય તેમ આ સમગ્ર વિડીયોને વાયકલ કરાયો હતો.