નવસારી:નવસારીના સ્વાતંત્ર સેનાની અને દાંડીકૂચના એકમાત્ર છેલ્લા સાક્ષી એવા નરસિંહ નાના પટેલનું 102 વર્ષની વયે ન્યૂઝીલેન્ડમાં નિધન થયું છે. જલાલપુરમાં રહેતા સ્વાતંત્ર સેનાની અને દાંડીકૂચના એકમાત્ર છેલ્લા સાક્ષી નરસિંહભાઈ નાનાભાઈ પટેલ (Narsinhbhai Patel)જેમણે દેશની આઝાદીમાં ભાગ ભજવ્યો હતો. જ્યારે ગાંધીજી દાંડીકૂચ(Dandi kutch)યાત્રા કરવા માટે આવ્યા હતા ત્યારે ગાંધીજીના સાથે રહ્યા હતા. અંગ્રેજો સામે લડ્યા હતા એવા નરસિંહભાઈ નાનાભાઈ પટેલનું નિધન(Narsinghbhai Nanabhai Patel) થતાં સમગ્ર ગાંધી વાદીઓમાં શોકની લાગણી પ્રસરી છે.
સ્વાતંત્ર સેનાની અને દાંડીકૂચના છેલ્લા સાક્ષી એવા નરસિંહભાઈ પટેલનું 102 વર્ષની વયે નિધન - Dandi March
સ્વાતંત્ર્ય સેનાની નરસિંહભાઈ પટેલના (Narsinhbhai Patel)મોતના કારણે નવસારીના કાંઠા વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે. સોલ્ટ મેમોરિયલ સ્મારકના લોકાર્પણના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું બહુમાન કર્યું હતું.

સ્વાતંત્ર સેનાની અને દાંડીકૂચના છેલ્લા સાક્ષી એવા નરસિંહભાઈ પટેલનું 102 વર્ષની વયે નિધન
આ પણ વાંચોઃદાંડીકૂચમાં ભાગ લેનારા 81 દાંડી યાત્રિકો કોણ છે ? જાણો તેમના નામ
કાંઠા વિસ્તારમાં શોખની લાગણી -સોલ્ટ મેમોરિયલ સ્મારકના લોકાર્પણ આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું બહુમાન કર્યું હતું. નરસિંહભાઈ પોતાના દીકરા સાથે ન્યૂઝીલેન્ડ સ્થાયી થયા હતા. 102 વર્ષની વયે ન્યૂઝીલેન્ડ ખાતે એમનું નિધન થતા નવસારીના કાંઠા વિસ્તારમાં શોખની લાગણી વ્યાપી છે.