ગુજરાત

gujarat

By

Published : Aug 7, 2021, 12:45 PM IST

Updated : Aug 7, 2021, 1:01 PM IST

ETV Bharat / state

નવસારી નજીક ટ્રેન ઉથલાવવાનું કાવતરું: ડ્રાઇવરની સૂઝબૂઝથી મોટી દુર્ઘટના ટળી

નવસારી નજીક ટ્રેન ઉથલાવી પાડવાનું કાવતરું સામે આવ્યું, જેને લઈ રેલવે પ્રસાશન હરકતમાં આવ્યું છે અને રેલ્વે પોલીસ પણ દોડતી થઈ છે. ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી(navsari train) રેલવે ટ્રેક પર એંગલ મુકીને ટ્રેન ઉથલાવી પાડવાનું ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું, જો કે સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ છે.

ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત ટળ્યો
ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત ટળ્યો

  • ગાંધી સ્મૃતિ સ્ટેશન પાસે સમય સુચકતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ
  • ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત થતાં રહી ગયો
  • રેલવે ટ્રેક પર કોઈકે લોખંડની એંગલ મૂકી ટ્રેનને ઉથલાવવાનું કાવતરૂ રચ્યુ હતું

નવસારી નજીક આવેલા ગાંધી સ્મૃતિ સ્ટેશનથી નવસારી(navsari train) તરફ આવતા રેલવે ટ્રેક પર કોઈકે લોખંડની એંગલ મૂકી ટ્રેનને ઉથલાવવાનું કાવતરૂ રચ્યુ હતુ. ગુડ્સ ટ્રેનના ડ્રાઇવરે બાજુના ટ્રેક પર લોખંડની એંગલ જોઈ નવસારી સ્ટેશન માસ્તરને જાણ કરાતા મેમુ ટ્રેનને અટકાવી દેવામાં આવી.

ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત ટળ્યો

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ટ્રેનના ડ્રાઈવરે નીચે ઉતરી ટ્રેક પર પડેલી એંગલને સાઈડ ટ્રેક પર ખસેડી ટ્રેન આગળ રવાના કરી હતી. સમગ્ર મામલે વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીરટ્રેન અકસ્માત થતાં રહી ગયો હતો.

ડ્રાઇવરની સૂઝબૂઝના કારણે ગંભીર ટ્રેન અકસ્માત ટળ્યો

અપડેટ ચાલુ....

Last Updated : Aug 7, 2021, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details