ગુજરાત

gujarat

By

Published : Jun 22, 2019, 2:40 AM IST

ETV Bharat / state

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોએ યોગા કર્યા

નર્મદાઃ 21 જૂન વિશ્વ યોગ દિવસે કંઈક અલગ કરવાની ગુજરાતની નેમ છે, આ વખતે નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોની ઉપસ્થિતીમાં સીએમ વિજય રૂપાણીએ યોગા કર્યા હતા અને જીવને શિવ સાથે મિલન કરતા યોગા કરીને એકતા અને અખંડિતાના દર્શન કરાવ્યા હતા.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોએ યોગા કર્યા, યોગએ જીવને શિવ સાથે જોડવાની કડીઃ સીએમ

આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્પષ્ટ મત વ્યકત કર્યો છે કે, વિશ્વના લોકો આજે ઓલરાઉન્ડ વેલનેસ, કમ્પ્લીટ હેપ્પીનેસ, અને ઇનકલુઝિવ હેલ્થકેર પાછળ દોડતા થયા છે ત્યારે ભારતીય પ્રાચીન સંસ્કૃતિએ હજારો વર્ષ પહેલાં વિશ્વ આખાની સંપૂર્ણ સુખાકારીની કામના યોગ સાધનાના આવિષ્કારથી કરી છે. તેમણે પ્રાચીન ભારતના ઋષિમુનિઓએ વિશ્વને આપેલી આ અમૂલ્ય ભેટ આજે તનાવમુકિત, માનસિક-શારીરિક વ્યાધિના નિવારણની સરળ રામબાણ ઇલાજ બની છે.

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સમીપે 1000 સાધુ સંતોએ યોગા કર્યા, યોગએ જીવને શિવ સાથે જોડવાની કડીઃ સીએમ
મુખ્યપ્રધાને 5મા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં કેવડીયા ખાતે નમર્દા મૈયા સમીપે સરદાર સાહેબની વિશ્વની વિરાટત્તમ પ્રતિમા ‘‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’’ સાનિધ્યે 1000 જેટલા સંતો-મહંતો-ધર્મગુરૂઓની નિશ્રામાં યોજાયેલી સાંધ્ય યોગ સાધનામાં ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આ અવસરે મુખ્યપ્રધાન સાથે જોડાયા હતા.વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, યોગનો વ્યાપક અર્થ છે જોડવું, આત્માને પરમાત્મા સાથે જોડવાની શારીરિક – આધ્યાત્મિક પ્રક્રિયા એટલે કે યોગ જીવને શિવ સાથે જોડવાની શ્રેષ્ઠ કડી છે. તેમણે પ્રચીન ગ્રંથો વેદ-ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ ગીતામાં યોગની-જોડવાની વાત વણી લેવાઇ છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં કહ્યું કે, સરદાર સાહેબે પણ દેશની એકતા અખંડિતતા માટે રજવાડાઓને એકતાના તાંતણે જોડેલા.શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ રાજયભરમાં 50 હજારથી વધુ સ્થાનોએ 1.5 કરોડ યોગ પ્રેમીઓએ સામૂહિક યોગ સાધના કરીને સ્વસ્થ ગુજરાતની ભાવના સાકાર કરી હતી, તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
તેમણે ઉમેર્યુ કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સમીપે સંતો-મહંતો-ધર્મગુરૂઓની નિશ્રામાં યોગ સાધના કંઇક નવું કરવાની ગુજરાતની પહેલનું પરિચાયક વડાપ્રધાનની પ્રેરણાથી બન્યું છે. ચુડાસમાએ રાજ્યમાં યોગના વ્યાપક પ્રચાર-પ્રસાર માટે મુખ્યપ્રધાને પ્રતિબધ્ધતા સાથે રાજ્ય યોગ બોર્ડની રચના કરવાના કરેલા નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details