ગુજરાત

gujarat

By

Published : Dec 3, 2020, 7:50 PM IST

ETV Bharat / state

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીની રકમના રૂ. 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવેશ ફીની રકમના રૂ. 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડના આશિષ જોશી અને જયરાજસિંહ સોલંકી નામના બે કર્મચારીઓની કેવડીયા પોલીસ તથા LCB નર્મદા પોલીસ દ્વારા વડોદરાથી દરોડા પાડી ધરપકડ કરી લેવામાં આવી છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીની રકમના રૂ. 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીની રકમના રૂ. 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

  • સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીનું કૌભાંડ
  • રૂ. 5.24 કરોડની થઇ ઉચાપત

નર્મદા: જીલ્લા LCB એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ ફીની રૂ. 5.24 કરોડની ઉચાપતનું કોકડું ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીની રકમના રૂ. 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ
રકમ HDFC બેંકમાં જમા કરાવવાને બદલે આરોપીઓએ બારોબાર ઉચાપત કરી

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પાસેથી જે પ્રવેશ ફીની રકમ વસૂલાતની જવાબદારી ઈસેક એજન્સીને સોંપવામાં આવી હતી અને તે રૂપિયા ભેગા કરી HDFC બેંકમાં ભરપાઈ કરવાની જવાબદારી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાઇટર કંપનીના કેટલાક કર્મચારીઓએ HDFC બેંકમાં નાણાં જમા ન કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લેતા સમગ્ર કૌભાંડ ઓડીટરના ધ્યાન પર આવ્યું હતું. તે બાદ બે દિવસ અગાઉ કેવડીયા પોલીસમાં HDFC બેંકના મેનેજરે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ બેંકના અધિકારીએ આરોપીઓના નામ તેમજ ફરિયાદ ન નોંધાવ્યા. આ પછીપોલીસે તપાસ શરૂ કરતાં રાઇટર કંપનીના જવાબદાર મેનેજર સહિત કેટલાક કર્મચારીઓને ત્યાં વડોદરા ખાતે દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીની રકમના રૂ. 5.24 કરોડની ઉચાપતમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ

બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે કેવડિયા ખાતે લઈ જવાયા

કેવડીયા પોલીસને મળેલી જાણકારી મુજબ રાઇટર કંપનીમાં ફરજ બજાવતા આશિષ જોશી, જયરાજ, નિમેષ અને હાર્દિક નામના ચાર કર્મચારી સહિત અન્ય કેટલાક કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. તે આધારે કેવડીયા પોલીસે બુધવારે વડોદરાના સુભાનપુરા, કોયલી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા પરંતુ આ આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. આ દરમિયાન કેવડીયા પોલીસને મળેલી બાતમીના આધારે ગુરૂવારે વહેલી સવારે રાઇટર કંપનીના અધિકારીઓ આશિષ જોશી અને કર્મચારી જયરાજસિંહ સોલંકી કોયલી ગામ સ્થિત નિવાસસ્થાને આવ્યા હોવાનું જાણવા મળતા કેવડીયા પોલીસે ખાતે દરોડા પાડી આશિષ જોશી અને જયરાજ નામના બે આરોપીની ધરપકડ કરી તેમને વધુ તપાસ માટે કેવડિયા ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details