ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજપીપળા વિકાસના પંથે, પરંતુ કેવડિયા મુખ્ય હાઈવેને જોડતો રસ્તો કાચો! - Narmda

નર્મદાઃ રાજપીપળા ગામ હાલ વિકાસના પંથે છે, ત્યારે વડીયાથી સીધો રાજપીપળા કેવડિયા મુખ્ય હાઇવેને જોડતો એક પગદંડી રસ્તો છે. જે આજે પણ કાચો છે. જો એ પાકો બની જાય તો હજારો લોકો અને અનેક ગામોની અવરજવર વધી જાય. તેથી ગ્રામજનો આ રોડની માગ કરી રહ્યા છે.

nmd

By

Published : Apr 9, 2019, 12:01 PM IST

લોકોની માંગને આધારે તત્કાલીન જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ સર્વે કરાવી 45 લાખ રૂપિયાના રોડની મંજૂરી માટે સરકારમાં લાખણ કરી ગ્રાન્ટ માંગી હતી. જોકે તેમની બદલી થઇ જતા આ વાત હાલ અભરાઈ પર ચઢી ગઈ હશે. જેથી ગ્રામજનોએ ફરી માંગ ઉઠાવી વડીયા ગામનો આ રસ્તો પાકો કરવા માગ કરી છે.

સ્પોટ ફોટો

અત્રે ઉલ્લેખનીય છે કે, એ રોડ પર સોસાયટીઓ બનતી હોવાથી જેમના માલ સામાન માટે મોટી ટ્રકો અવરજવર કરે છે. જેને કારણે આ રોડ ખોદાઈ જાય છે, ત્યારે ખાનગી સોસાયટીઓને કારણે ખરાબ રસ્તો હાલ નરેગા હેઠળ ગ્રામપંચાયતે 50 મજદૂર લગાવી સરખો કરાવ્યો, ત્યારે હાલ કાચા રસ્તે પણ અવરજવર થાય તેવો રોડ છે, પરંતુ હાલ લોકોએ પાકો રસ્તાની માંગણી કરી છે. વડીયા ગામનો આ રસ્તો સીટી સર્વેના ચોપડે નથી બોલતો, વડીયા ગામના ખેડૂતો દ્વારા અવરજવર માટે વર્ષો પહેલા ખેડૂતોએ પોતાના ખેતરનો એક હિસ્સો છોડી પગદંડી રસ્તો બનાવ્યો હતો.

જે આંતરિક ખેડૂતોની સમજૂતી માટે પછી બળદ ગાડા લઈ જવાથી પહોળો બન્યો અને હાલ 10 મીટર જેટલો પહોળો રસ્તો થઇ ગયો છે, ત્યારે અહીંથી વડીયા ગામ સાથે આજુબાજુના ગ્રામજનોને પણ સીધો મુખ્ય માર્ગે જવા સરળતા પડે માટે આ રસ્તો પાકો બનાવવાની માગ ઉઠી છે.

સ્પોટ ફોટો

સરકારી ચોપડે રસ્તો નથી બોલતો તો સોસાયટીઓ વાળાને N.A.ની પરમિશન અને બાંધકામની પરમિશન કોણ આપે છે? વડીયા ગામનો આ કાચો રસ્તો સીટી સર્વેના ચોપડે બોલતો નથી અને ગામની સીમમાં આવેલા ખેતરોમાં બિલ્ડરોને સોસાયટી બનાવવા N.A.ની પરમિશન કોણ આપે છે અને બાંધકામની પરમિશન કેમ અપાય છે, ક્યાંથી તમે સોસાયટીમાં પ્રવેશ મેળવશો એવો પ્રશ્ન નથી કરવામાં આવતો. જો આ રોડ જ્યાં સુધી સરકારી ચોપડે બોલતો ન થાય ત્યાં સુધી આ રોડ પર બનનારી એક પણ સોસાયટી કાયદેસર ગણાય ખરી? સોસાયટીના મોટા બંગલા ભલે બને પણ જશે ક્યાંથી? આવી અનેક સમસ્યા આ રોડ સાથે જોડાયેલી છે.

ABOUT THE AUTHOR

...view details