ગુજરાત

gujarat

By

Published : Sep 17, 2019, 2:49 PM IST

Updated : Sep 17, 2019, 3:12 PM IST

ETV Bharat / state

મારૂ સૌભાગ્ય કે, માઁ નર્મદાના દર્શન-પૂજાનો અવસર મળ્યો: PM મોદી

કેવડિયાઃ PM નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિને નર્મદાના નીરના વધામણા કર્યાં હતાં, ત્યારબાદ એક સભાને સંબોધન કર્યું હતું. જેમાં મોદીએ કહ્યું કે, આતો મારૂ સૌભાગ્ય છે કે, માઁ નર્મદાના દર્શન અને પૂજા કરવાનો અવસર મળ્યો. અહીં આવું છું તો જૂના જમાનાની યાદો યાદ આવી જાય છે. દેશની આ સિદ્ધિ માટે હું તમામ ગુજરાતીવાસીઓને આભાર અને શુભેચ્છા પાઠવું છું. મોદીએ વધુમાં કહ્યું કે, હું તમામ ગુજરાતીવાસીઓને નર્મદા ઉત્સવના પ્રસંગે જોડાવા આહવાન કરુ છું. સરદાર પટેલની ભવ્ય પ્રતિમા આપણને આશીર્વાદ આપતી નજર ચડે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

ગુજરાતમાં પાણીની સમસ્યા વિશે વાત કરતા મોદીએ કહ્યું કે, મને યાદ છે 2000ની સાલમાં ભયંકર ગરમી વચ્ચે પાણીની ટ્રેન ચલાવી પડી હતી. આ પહેલા નર્મદા ડેમ 122 મીટર ભરાયો હોય એ મોટી સિદ્ધી હતી. આજે 138 મીટર ભરાવું મોટી સિદ્ધી છે. જમ્મુ કાશ્મીર વિશે વાત કરતા મોદીએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરથી દાયકાઓ જૂની સમસ્યાનો અંત આવ્યો છે. હું ભારતની એકતા માટે લડતો રહીશ. અમારી સરકારે 100 દિવસમાં મોટા ફેંસલા લીધા છે.

કેવડિયા ખાતે નર્મદાના નીરના વધામણા બાદ સભાને સંબોધિત કરી

સરદાર પટેલને યાદ કરતા મોદીએ કહ્યું કે, આજનો દિવસ સરદાર સાહેબ અને એકતા દિવસ માટે સ્વર્ણિક પૃષ્ઠ લખાયો હતો. 1948માં હૈદરાબાદનો વિલય આજે થયો હતો. હૈદરાબાદનું દેશની પ્રગતિમાં મોટું યોગદાન છે. જો સરદાર ન હોત તો ભારતનો નકશો અલગ હોત.

PM મોદીના ભાષણના અંશો

  • આજના દિવસ સુધી પહોંચા માટે સામાન્યમાં સામાન્ય માણસનું યોગદાન રહ્યું, અનેક સંગઠનો અને સાધુ-સંતોનું પણ મહત્વનું યોગદાન
  • તળાવ, ઝરણાં અને નદીઓની સફાઇનું કામ જળ જીવન મિશનને આગળ ધપાવશે
  • કચ્છ અને સૌરાષ્ટ્રમાં માઁ નર્મદાની કૃપાથી પાણી પહોંચ્યું છે.
  • પીવાના પાણી અને સિંચાઇ માટેના પાણી માટે ગુજરાતઓએ હિંમત બતાવી.
  • આજે સિંચાઇનું વ્યાપક નેટવર્ક 100 ગુણી જમીન સિંચાઇના દાયરામાં લાવી દીધું છે
  • આજે ટપક સિંચાઇ પદ્ધતિ અને માઇક્રો સિંચાઇથી 12 લાખ ખેડૂતોને લાભ મળ્યો છે.
  • માઇક્રો ઇરીગેશનથી પાણી, ફર્ટીલાઇઝર અને વીજળીમાં બચત થઇ
  • કચ્છમાં નર્મદાનું પાણી પહોંચ્યું જે પારસ સિદ્ધ થયું
  • સિંચાઇથી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવા સરકાર કદમ ઉઠાવી રહી છે.
  • દુકાનદારો અને વેપારીઓ સિવાય હવે ખેડૂતો માટે પેન્શન યોજના શરૂ કરીશું
  • ફેરી સર્વિસને કારણે 17000 ગાડીઓ ટ્રાનસ્પોર્ટ થઇ, સાડા ત્રણ લાખ લોકોએ રોરો ફેરીનો ઉપયોગ કર્યો
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અત્યાર સુધી 23 લાખથી વધુ પર્યટક આવ્યા
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી પર નવા પ્રોજેક્ટથી રોજગારી વધશે
  • દેશને પ્લાસ્ટિકથી બચાવવાનો છે, આપણી જમીન પ્લાસ્ટિકથી મુક્ત કરીશું
Last Updated : Sep 17, 2019, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details