ગુજરાત

gujarat

ETV Bharat / state

ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના એક વર્ષ પૂર્ણ થતાં આગામી 31 ઓક્ટોબર 2019ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક વર્ષની પૂર્ણતાનો ભવ્ય કાર્યક્રમ યોજનારો છે. ત્યારે એક વર્ષના ટૂંકા ગાળામાં 40થી વધુ પ્રોજેક્ટોનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. જેમાંથી વનવિભાગના 30થી વધુ પ્રોજેક્ટો છે, જેમાં 13 જેટલા પ્રોજેક્ટો પૂર્ણ છે અને 18 જેટલા પ્રોજેક્ટોનું પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.

By

Published : Jul 14, 2019, 6:28 PM IST

unity

ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી

મળતી માહિતી મુજબ, આ પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરવા રાજ્યના વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા કેવડિયાની મુલાકાતે આવ્યા હતા. જેમાં વિવિધ સ્થળોની મુલાકાત અને કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું.

ગણપત વસાવા કેવડીયાની મુલાકાતે, 40થી વધુ નવા પ્રોજેક્ટો વિશે માહિતી આપી
સફારી પાર્ક બાબતે, વન પ્રધાને જણાવ્યું હતું કે, ભારત માંથી વિવિધ રાજ્યો માંથી ખાસ પ્રાણીઓ લાવવામાં આવશે. જૂનાગઢના સક્કર બગમાંથી વાઘ, સિંહ સહિતના જંગલી પ્રાણીઓ લાવવામાં આવશે. ભારત જ નહીં વિદેશોમાંથી પણ પ્રાણીઓ અને પક્ષીઓ મંગાવવામાં આવ્યા છે. આમ 1800થી વધુ પશુ-પક્ષીઓ અને જળચર, સરીસૃપો લાવવામાં આવશે તેવી વાત કરવામાં આવી હતી.સ્ટેચ્યુની આજુબાજુમાં કેવા પ્રોજેક્ટો ખુલ્લા મુકાશેસફારી પાર્ક, એકતા નર્સરી, એકતા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક, ન્યુટ્રીશન પાર્ક,ચિલ્ડ્રન પાર્ક, મિરર મેજ, બામ્બુ અને લાકડાની બનાવટના સ્ટોલ, હર્બલ સ્પા, ચિલ્ડ્રન ટ્રેન, સહિતના પ્રોજેક્ટો બનશે.કયા-કયા પ્રાણીઓ લાવશે

સિંહ, વાઘ, ચિત્તો ,દીપડો, ઉરાન ઉતાનગ, રિંછ, શાહમૃગ, ઓટરિચ, વિવિધ પક્ષીઓ વિદેશી કંગરુ, રિછ, ચિમ્પઝી, સ્થાનિક કોબ્રા, રસેલ વાઈપર ,ક્રેર અજગર જેવા ઝેરી બિન ઝેરી સાપો પણ અહિયાં સફારી પાર્કમાં લાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details