મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવાર અને શનિવારે નર્મદાની મુલાકાતે છે. અહીં મુખ્યપ્રધાને વિકાસલક્ષી કામગીરીનું મુલ્યાંકન કર્યું અને વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા પણ કરી હતી. આ સાથે જ આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી નર્મદાની મુલાકાતે આવનારા છે ત્યારે તે અંગે પણ અધિકારીઓ વિશે બેઠક પણ યોજશે.
નર્મદાઃ CM રૂપાણીએ ફ્રી WIFI સેવાનો કર્યો પ્રારંભ - વડાપ્રધાન મોદી
નર્મદાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસીય નર્મદાના પ્રવાસે છે, ત્યારે વિકાસલક્ષી કામગીરીનું મુલ્યાંકન કરવા પહોંચ્યા છે. તે ઉપરાંત વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-3 પર સૌપ્રથમ વખત ફ્રી વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.
![નર્મદાઃ CM રૂપાણીએ ફ્રી WIFI સેવાનો કર્યો પ્રારંભ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4158120-thumbnail-3x2-vijaysaheb.jpg)
CMએ ફ્રી WIFI સેવાનો કરાવ્યો પ્રારંભ
CM રૂપાણીએ ફ્રી WIFI સેવાનો કર્યો પ્રારંભ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 20 લાખથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ત્યારે આ પ્રવાસન સ્થળ વધુ વિકસે અને પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં આવે તે માટે વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાને શનિવારે સૌપ્રથમ વખત ફ્રી વાઇ-ફાઇ સેવાની શરૂઆત કરાવી હતી અને મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.
Last Updated : Aug 17, 2019, 12:39 PM IST