ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદાઃ CM રૂપાણીએ ફ્રી WIFI સેવાનો કર્યો પ્રારંભ - વડાપ્રધાન મોદી

નર્મદાઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણી બે દિવસીય નર્મદાના પ્રવાસે છે, ત્યારે વિકાસલક્ષી કામગીરીનું મુલ્યાંકન કરવા પહોંચ્યા છે. તે ઉપરાંત વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગેટ નંબર-3 પર સૌપ્રથમ વખત ફ્રી વાઇ-ફાઇ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો.

CMએ ફ્રી WIFI સેવાનો કરાવ્યો પ્રારંભ

By

Published : Aug 17, 2019, 9:43 AM IST

Updated : Aug 17, 2019, 12:39 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણી શુક્રવાર અને શનિવારે નર્મદાની મુલાકાતે છે. અહીં મુખ્યપ્રધાને વિકાસલક્ષી કામગીરીનું મુલ્યાંકન કર્યું અને વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા પણ કરી હતી. આ સાથે જ આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી નર્મદાની મુલાકાતે આવનારા છે ત્યારે તે અંગે પણ અધિકારીઓ વિશે બેઠક પણ યોજશે.

CM રૂપાણીએ ફ્રી WIFI સેવાનો કર્યો પ્રારંભ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની અત્યાર સુધીમાં 20 લાખથી પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે ત્યારે આ પ્રવાસન સ્થળ વધુ વિકસે અને પ્રવાસીઓ અહીં મોટા પ્રમાણમાં આવે તે માટે વિવિધ પ્રોજેક્ટની સમિક્ષા કરશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યપ્રધાને શનિવારે સૌપ્રથમ વખત ફ્રી વાઇ-ફાઇ સેવાની શરૂઆત કરાવી હતી અને મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી.

Last Updated : Aug 17, 2019, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details